Home> Gujarat
Advertisement
Prev
Next

ઘાટલોડિયા ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, ક્રાઈમ બ્રાંચે બેની અટકાયત કરી, હવે ખૂલશે મોટા રહસ્યો!

અમદાવાદ ક્રાઇક બ્રાંચે આ કેસમાં મોટી સફળતા હાથ લાગી છે અને બે આરોપીઓની અટકાયત કરી છે. બન્ને આરોપીઓ વિશે મળતી માહિતી પ્રમાણે ઘાટલોડિયા ડબલ હત્યા કેસમાં ઝડપાયેલા બન્ને આરોપીઓ મૂળ ઝારખંડના રહેવાસી છે.

ઘાટલોડિયા ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, ક્રાઈમ બ્રાંચે બેની અટકાયત કરી, હવે ખૂલશે મોટા રહસ્યો!

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા ઘાટલોડિયામાં દિવાળી ટાણે થયેલી ડબલ હત્યા કેસમાં આજે એક ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇક બ્રાંચે આ કેસમાં મોટી સફળતા હાથ લાગી છે અને બે આરોપીઓની અટકાયત કરી છે. બન્ને આરોપીઓ વિશે મળતી માહિતી પ્રમાણે ઘાટલોડિયા ડબલ હત્યા કેસમાં ઝડપાયેલા બન્ને આરોપીઓ મૂળ ઝારખંડના રહેવાસી છે. જેમણે લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગઈકાલે (રવિવારે) મોડી રાતે અટકાયત કરી હતી. સીસીટીવીમાં ટોપીવાળા શકમંદના આધારે ઘાટલોડિયાનો ચર્ચિત  બની રહેલો હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે. 

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝારખંડથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને બંનેએ કબૂલ્યું છે કે લૂંટના ઇરાદે આ હત્યા કરી હતી. આરોપીઓનું કહેવું છે કે અમને કોઇ જોઇ જશે એવો ડર લાગ્યો એટલે અમે ત્યાંથી ભાગી ગયા હતા.

અત્રે નોંધનીય છે કે આ હત્યાના ભેદને ઉકેલવા માટે ઘાટલોડિયા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અનેક અધિકારી-કર્મચારીઓ તપાસમાં રોકાયા હતા. દયાનંદભાઈ અને વિજયાલક્ષ્મીબહેનના ગળે જીવલેણ ઘા કરવામાં આવ્યો હતો. દંપતિના મૃત્યુનો અંદાજિત સમય જોતાં બંનેની લગભગ એકસાથે જ હત્યા થઈ હોવાનું જણાતું હોવાથી ઘરમાં બે હત્યારા ઘૂસ્યા હોવાનું પહેલેથી જ માનવામાં આવી રહ્યું હતું.

જાણો શું હતી સમગ્ર ઘટના
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની પારસમણી સોસાયટીમાં મકાન નંબર 11 માં રહેતા દયાનંદ શાનભાગ અને વિજયાલક્ષ્મી શાનભાગ નામના વૃદ્ધ દંપત્તીની 2 નવેમ્બરના રોજ હત્યા થઇ જતા ચકચાર મચી હતી. જો કે આ હત્યા પાછળ કોઇ પ્રોફેશનલ મર્ડરર અથવા તો જાણભેદું હોય તેવું પોલીસ માની રહી હતી. જોકે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પોલીસને કોઈ કડી ન મળતા વૃદ્ધ દંપત્તીની હત્યાનો મામલો વધારેને વધારે ગુંચવાતો જતો હતો. પોલીસ ઉપર પણ સવાલો ઉદ્દભવી રહ્યા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાનું લાગી રહ્યું હતું. જો કે પોલીસ તપાસના અંતે ઘરમાંથી ઘરેણા અને રોકડ મળી આવતા પોલીસ પણ અસમંજસમાં પડી હતી કે આ હત્યા પાછળનું કારણ શું કોઈ શકે છે. 

આ શું થવા બેઠું છે?, રાજકોટ જિલ્લાના ઉકરડા ગામે એક સાથે 500 લોકોના હાથ પગ ઝકડાયા, લોકોમાં દહેશત

બીજી બાજુ, સોસાયટી રિડેવલપમેન્ટમાં જાય તેવી શક્યતાને કારણે સીસીટીવી પણ નહોતા. જેથી આ હત્યા પોલીસ માટે પડકાર સાબિત થઇ શકે છે. 

પોલીસે પ્રાથમિક તપાસ અનુસાર હત્યારાઓએ ફૂડ ડિલિવરી બોય બનીને રેકી કરી હોવાની શક્યતા સેવી હતી. પોલીસને વૃદ્ધાના ઘરમાંથી 15 હજાર રોકડા અને વૃદ્ધાના શરીર પરથી ઘરેણા મળ્યા હતા. હત્યાની સાંજે પહેલા ઘરમાં કોણ આવ્યું હતું. અને પૌત્રી ક્યાં ગઇ હતી વગેરે એંગલ પર તપાસ આદરી હતી. જો કે આ કેસ વધુ ચર્ચિત બનતા ક્રાઇમબ્રાંચ પણ પોલીસની મદદ કરી રહી હતી. હત્યા સમયે સાંજે 6 વાગ્યાની આસપાસ દંપત્તીની પૌત્રી રિતુ દિવાળી ખરીદી કરવા ગઇ હતી. તે જ સમયે લૂંટારાઓ ત્રાટક્યા હતા. જો કે સૌથી મોટો સવાલ છે કે, હત્યારાઓને દંતત્તી એકલું જ ઘરે છે તેવી માહિતી ક્યાંથી મળી. 

ગુજરાતમાં કોરોનાના કહેર બાદ હવે ડેન્ગ્યુનો ડર, ગત વર્ષ કરતા ત્રણ ગણા કેસ વધ્યા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More