Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં ગોવાનો અહેસાસ : રિવરફ્રન્ટ પર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બની, આટલો છે લંચ અને ડિનરનો ભાવ

Ahmedabad News : અમદાવાદના રિવરફ્રન્ટ પર ક્રૂઝની સવારી કરવાની આતુરતાનો આજે અંત આવ્યો....રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરેન્ટનો આજથી થયો શુભારંભ...15 કરોડના ખર્ચે બનેલી ક્રૂઝનો અમિત શાહે વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યું...

અમદાવાદમાં ગોવાનો અહેસાસ : રિવરફ્રન્ટ પર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બની, આટલો છે લંચ અને ડિનરનો ભાવ

Cruise Floating Restaurant : આજે અમદાવાદીઓને સૌથી મોટી ભેટ મળી છે. રિવરફ્રન્ટ પર ક્રૂઝની સવારીના ઈન્તેજારીનો અંત આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ શરૂ કરાવી છે. હવેથી 15 કરોડના ખર્ચે બનેલી ક્રૂઝ આજથી અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ક્રુઝમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ ડિનરના 2500 રૂપિયા અને લંચના 2000 ભાવ નક્કી કરાયા છે. લગભગ 1.5 કલાક સુધી ક્રુઝની મજા માણી શકાશે. તેમજ સામાજિક પ્રસંગોની પણ ઉજવણી માટે તેને બુક કરી શકાશે. 

અમદાવાદના ગરિમામય ઈતિહાસને આગળ ધપાવતા આજે રૂપિયા 15 કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લી .દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર શીપ અંતર્ગત “અક્ષર રીવર ક્રુઝ”નો શુભારંભ  સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કરાયો છે. આ નવીન અને આધુનિક આકર્ષણ નગરજનો તથા પ્રવાસીઓને સાબરમતીની સુંદરતા વધુ નજીકથી નિહાળવાનો અવસર પ્રદાન કરવાની સાથે અમદાવાદના વ્યંજનોના સ્વાદથી પરિચિત કરાવશે. તથા અમદાવાદના પર્યટન ક્ષેત્રને પણ વેગ પ્રાપ્ત થશે.

હવામાન વિભાગે તારીખ આપીને કહ્યું, આ દિવસથી ગુજરાતમાં ઘટી જશે વરસાદનું જોર

વરસાદની આગાહી વચ્ચે ગુજરાતની 16 ટ્રેન રદ, આ શિડ્યુલ જાણીને આજે મુસાફરી કરજો

સાબરમતી રીવરફ્રન્ટની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા આ નવીનત્તમ આકર્ષણનું લોકાર્પણ અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ કરાવાયુ હતું. અમિત શાહે આ ઉદઘાટન પ્રસંગે કહ્યું કે, આજે અમદાવાદીઓને નવું નજરાણું ગુજરાત સરકાર અને AMC આપી રહ્યાં છે તેમને હું અભિનંદન પાઠવું છું. રિવરફ્રન્ટ જ્યાં સુધી ન બન્યું ત્યાં સુધી નદી કોઈએ જોઈ જ ન હતી. નદીની જગ્યાએ ગંદકી અને નાના ખાબોચિયા હતા. પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે સપનું જોયું. નદીના કારણે પાણીના સ્તર તો ઉંચા આવ્યા જ, પણ મોર્નિંગ વૉક કરવા, બાળકો, યુવાનો વૃદ્ધોને તેમજ સામાજિક ગતિવિધિઓ માટેનું મધ્યમ બન્યું છે. આ ક્રુઝ અમ્દાવાદ માટે એક નવું નજરાણું બનવાનું છે. ભારતમાં તૈયાર થયેલી આ પ્રથમ વખત મેટાલિક ક્રુઝ છે. ટુરિઝમને વધારનારી આ ક્રુઝ અમદાવાદીઓ જરૂર માણશે. જેને 180 લાઈવ જેકેટ્સ અને ઇમરજન્સી રેસ્ક્યુ બોટ્સ સાથે તેની ડિઝાઇન કરવામાં આવી છે. ભદ્ર પ્લાઝા, અને હવે ગાંધી આશ્રમ ડેવલોપ થઇ રહ્યું છે. આ પ્લાનિંગ અને વિઝન નરેન્દ્ર મોદીનું હતું. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ પણ આપણે ત્યાં છે. ગુજરાતના ટુરિઝમને આગળ વધારવા માટે નરેન્દ્ર મોદીએ પ્રયાસ કર્યો છે. આજે હું અમદાવાદના નગરજનોને અભિનંદન પાઠવું છું. મને દૂરથી તમારાથી વાત કરું છું પણ મારા મનમાં નિશ્ચિત આયોજન છે કે, રાત્રે મારા અમદાવાદીઓ સાથે ક્રુઝમાં ભોજન લઈશ. 

માતાપિતા કેનેડા ગયા બાદ પટેલ પુત્રએ પોત પ્રકાશ્યુ, બારોબાર વેચી દીધી 19 વીઘા જમીન

હવે જો ચોમાસું ખેંચાય તો પણ વાંધો નહિ આવે : જુલાઈના આરંભે જ ગુજરાતના ડેમ છલકાયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More