Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ સામુહિક હત્યાકાંડનો આરોપી વિનોદ મરાઠી ઈન્દોરથી પકડાયો

અમદાવાદ સામુહિક હત્યાકાંડનો આરોપી વિનોદ મરાઠી ઈન્દોરથી પકડાયો
  • ઓઢવમાં 4 લોકોની હત્યાનો મામલે પોલીસને મળી મોટી સફળતા
  • મુખ્ય આરોપી વિનોદ મરાઠીની પોલીસે રાજ્ય બહારથી કરી ધરપકડ
  • વિનોદ મરાઠી હત્યા બાદ હતો ફરાર
  • ક્રાઈમબ્રાંચની ટીમે 48 કલાકમાં વિનોદ મરાઠીને ઝડપી પાડ્યો.. 

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના ઓઢવમાં 4 લોકોની હત્યાકાંડમાં અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી વિનોદ મરાઠીને ઈન્દોરથી ઝડપી પાડ્યો છે. 26 માર્ચે પરિવારના ચાર લોકોની હત્યા બાદ આરોપી વિનોદ મરાઠી ફરાર હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે 48 કલાકમાં વિનોદ મરાઠીને ઝડપી લીધો છે. ઓઢવમાં પોતાના જ પરિવારના 4 લોકોની હત્યા કરીને વિનોદ મરાઠી નામનો શખ્સ નાસી છૂટ્યો હતો, જેને પકડવા માટે પોલીસે સઘન તપાસ કરી અને આખરે સફળતા મળી છે, આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો છે.

ચાર લોકોની હત્યાનો ભેદ ઉકેલાશો
વિનોદ મરાઠી પરિવારમાં ખેલાયેલા હત્યાકાંડ બાદથી ગાયબ હતો. ત્યારે હવે આ સમગ્ર કાંડ પરથી પડદો ઉંચકાશે. વિનોદ મરાઠીએ જ બધાની હત્યા કરી, વિનોદ મરાઠીને હત્યામાં કોણે કોણે સાથ આપ્યો, આખરે તેને પરિવાર સાથે એવો તો શુ મતભેદ હતો તેણે નિર્દયી રીતે હત્યા કરી. આ તમામ સવાલોના જવાબ આખરે મળશે. વિનોદને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાં ટીમ દોડાવી હતી. મહારાષ્ટ્રમાં વિનોદ છુપાયો હોવાની આશંકા હતી. પરંતુ તે ઈન્દોરથી પકડાયો હતો. 

આ પણ વાંચો : અમદાવાદ સામૂહિક હત્યાકાંડમાં 4 ની અટકાયત, પત્નીના આડાસંબંધોએ પરિવારનો ભોગ લીધો?

વિનોદ ગુસ્સાવાળા સ્વભાવનો હતો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, વિનોદ મરાઠીએ પોતાના સાસુ અને વડસાસુને જમવા બોલ્યા હતા. સાસુ મોડા ઘરે પહોચતા વિનોદે ઘરના લોકો જન્મદિવસની પાર્ટીમા જમવા ગયા હોવાનું કહ્યું હતું. વારંવાર સોનલની માતાએ વિનોદની પૂછપરછ કરતી હતી. સવાર સુધી સોનલની માતાએ દીકરીના રાહ જોઈ હતી. બાદમા સવારે ફરી પૂછતા વિનોદે સાસુ પર છરીથી હુમલો કર્યો હતો. વિનોદની સાસુ સંજુબેને પોલીસને જણાવ્યું કે, અવાર નવાર તેમની દિકરી સાથે વિનોદ ઝઘડો કરતો હતો. પોલીસને ઝઘડાની જાણ ન કરવા વિનોદે સાસુને ધમકી પણ આપી હતી. તેમજ પ્રોપર્ટી બાબતે પણ પરિવારમાં અનેકવાર ઝઘડા થતા હતા. સાસુનુ મકાન તેની દિકરી સોનલની નામે કરી દે વિનોદ અવાર નવાર ઝઘડા કરતો હતો. વિનોદ પોતે નાશાનો આદિ હતો. તે સતત બે-બે દિવસ નશાની હાલતમા રહેતો હતો, જેને લઈન પણ પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા હતા. 

આ પણ વાંચો : અમદાવાદ સામૂહિક હત્યામાં મોટો ખુલાસો, વિનોદ મરાઠીની સાસુએ ખોલ્યો ઘરનો મહત્વનો ‘રાઝ’

આ પણ વાંચો : ગીરની હિર ગણાતી કેસર કેરી પર આફત આવી, મધિયાએ વાડીઓમાં આતંક મચાવ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More