Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ : જિલ્લા કલેકટરે 17 પાકિસ્તાની નાગરિકોને નાગરિકત્વ આપ્યું, શરણાર્થીઓ ભાવુક

કલેકટર દ્વારા આજે જિલ્લા કલેકટર  સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરવામાં આવી હતી. આ અવસરે જીલ્લા કલેકટર સંદીપ સાગલેએ લાભાર્થીઓ સાથે ભાવપૂર્ણ સંવાદ સાંધ્યો અને તેમણે લાભાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી સંબધિત પ્રશ્નો પૂછ્યા હતા અને સાંત્વના આપી હતી. આ અવસરે લાભાર્થી સવામલે કલેકટરને નમન કરીને કહ્યું કે,સાહેબ ! અમે ભારતમાં શાંતિનો મહેસુસ કરીએ છીએ.

અમદાવાદ : જિલ્લા કલેકટરે 17 પાકિસ્તાની નાગરિકોને નાગરિકત્વ આપ્યું, શરણાર્થીઓ ભાવુક

અમદાવાદ : કલેકટર દ્વારા આજે જિલ્લા કલેકટર  સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરવામાં આવી હતી. આ અવસરે જીલ્લા કલેકટર સંદીપ સાગલેએ લાભાર્થીઓ સાથે ભાવપૂર્ણ સંવાદ સાંધ્યો અને તેમણે લાભાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી સંબધિત પ્રશ્નો પૂછ્યા હતા અને સાંત્વના આપી હતી. આ અવસરે લાભાર્થી સવામલે કલેકટરને નમન કરીને કહ્યું કે,સાહેબ ! અમે ભારતમાં શાંતિનો મહેસુસ કરીએ છીએ.

મુખ્યમંત્રીએ જામનગરમાં દિગ્ગજ કોંગ્રેસી નેતાને કીધું, આવી જાવને અમારી સાથે અને...

અહી ઉપસ્થિત રહેલા લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ત્વરા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અહીં મહત્વની બાબત એ છે નાગરિકતા અધિનિયમ પ્રમાણે ૭ વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. આ વેળાએ અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા અને અગ્રણી  મેઘરાજભાઈ તેમજ રાજેશભાઈ મહેશ્વરી સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

GUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 19 દર્દી રિકવર થયા, 1 નાગરિકનું મોત

અત્રે નોંધનીય છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More