Home> Gujarat
Advertisement
Prev
Next

થર્ટી ફર્સ્ટની રાત્રે અમદાવાદના ડમરું સર્કલ સેક્ટર-3માં કરપીણ હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના?

અમદાવાદનાં ચાણક્યપૂરીમાં હત્યાના સમાચારથી ખળભળાટ મચી જવા પામ્યો છે. 31st ની રાત્રે ડમરુ સર્કલ સેકટર 3 વિસ્તારમાં 25 વર્ષીય રાજેન્દ્ર કાનારમ નવલ નામક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે.

થર્ટી ફર્સ્ટની રાત્રે અમદાવાદના ડમરું સર્કલ સેક્ટર-3માં કરપીણ હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના?

ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે. અમદાવાદનાં ચાણક્યપુરીમાં કરપીણ હત્યા કરવામાં આવી છે. થર્ટી ફર્સ્ટની રાત્રે ડમરું સર્કલ સેક્ટર-3 વિસ્તારમાં આ હત્યા થઈ છે. જેમાં 25 વર્ષીય રાજેન્દ્ર કાનારમ નવલ નામના યુવાનની હત્યા થઈ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદનાં ચાણક્યપૂરીમાં હત્યાના સમાચારથી ખળભળાટ મચી જવા પામ્યો છે. 31st ની રાત્રે ડમરુ સર્કલ સેકટર 3 વિસ્તારમાં 25 વર્ષીય રાજેન્દ્ર કાનારમ નવલ નામક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. અંદાજે 4 લોકો સેકટર 3 થી ઉપાડીને સોલા બ્રિજ પાસે આવેલા ફાટક પાસેની અવાવરૂ જગ્યાએ લાવ્યા હતા. જ્યાં રેલવે ફાટક પાસે પત્થરનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો:

યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર

કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય

છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!

હત્યા કર્યા બાદ લાશને રેલવે ટ્રેક પર ફેંકી દેવાઈ હતી. વહેલી સવારે પોલીસને ઘટનાની જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:

ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર

કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત

ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચાણક્યપુરીમાં કુખ્યાત પ્રદીપ માયાની તલવારના ઘા મારીને હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. કુખ્યાત ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની કૌટુંબિક બનેવી અનિશ પાંડેએ તેના સાગરીતો સાથે મળી તલવારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More