Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના હોવાનો વહેમ કે શંકા હોય તે લોકો માટે મ્યુ. કમિશનરે કરી મોટી વાત

અમદાવાદ (Ahmedabad) માં કોરોનાના કેસના અપડેટ્સ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ જણાવ્યું કે, હાલ કોરોનાની કોઈ દવા કે વેક્સીનેશન નથી, જે પોઝિટિવ થાય તેઓની સારામાં સારી કેર થાય તે જરૂરી છે. હાલ અમદાવાદ શહેરોમાં એક્ટિવ કેસો 3101 થયા છે. દોઢ મહિનામાં પહેલી વાર એક્ટિવ કેસનો ગ્રોથ રેટ 5 ટકાથી ઓછો થયો છે. જે 30થી 31 ટકાનો વધારો થતો હતો, તે ઘટી રહ્યો છે. આજે 5 ટકાથી નીચે ગ્રોથ રેટ થયો છે. મેના અંત સુધી તેને ઝીરો ટકા સુધી લઈ જવુ છે. જેથી કોરોનાને માત આપી શકાય. ગઈકાલે 79 જેટલા લોકો સાજા થઈને ઘરે થયા હતા, આમ અત્યાર સુધી 691 લોકો રિકવર થયા છે. 

કોરોના હોવાનો વહેમ કે શંકા હોય તે લોકો માટે મ્યુ. કમિશનરે કરી મોટી વાત

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ (Ahmedabad) માં કોરોનાના કેસના અપડેટ્સ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ જણાવ્યું કે, હાલ કોરોનાની કોઈ દવા કે વેક્સીનેશન નથી, જે પોઝિટિવ થાય તેઓની સારામાં સારી કેર થાય તે જરૂરી છે. હાલ અમદાવાદ શહેરોમાં એક્ટિવ કેસો 3101 થયા છે. દોઢ મહિનામાં પહેલી વાર એક્ટિવ કેસનો ગ્રોથ રેટ 5 ટકાથી ઓછો થયો છે. જે 30થી 31 ટકાનો વધારો થતો હતો, તે ઘટી રહ્યો છે. આજે 5 ટકાથી નીચે ગ્રોથ રેટ થયો છે. મેના અંત સુધી તેને ઝીરો ટકા સુધી લઈ જવુ છે. જેથી કોરોનાને માત આપી શકાય. ગઈકાલે 79 જેટલા લોકો સાજા થઈને ઘરે થયા હતા, આમ અત્યાર સુધી 691 લોકો રિકવર થયા છે. 

સુરતના રત્ન કલાકારોને વતન મોકલવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

વહેમ કે શંકા હોય તો ટેસ્ટ કરાવવા જરૂરી નથી 
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ બાદ નાગરિકોમાં ચિંતા વધી છે. તેથી અનેક નાગરિકોની ટેસ્ટીંગ માટે રજૂઆત આવે છે. ત્યારે ટેસ્ટીંગ કયા લોકોએ અને ક્યારે કરવા તે અંગેની સ્પષ્ટતા કરતા તમણે જણાવ્યું કે, કોઈ પણ નાગરિકને માત્ર વહેમ કે આશંકા હોય તો તેને દૂર કરવા ટેસ્ટીંગની કોઈ જોગવાઈ નથી. જેમના ઘર, સાસોયટી કે ઓફિસમાં પોઝિટિવ હોય તેવા લોકો પણ ટેસ્ટીંગનો આગ્રહ રાખે છે. જેઓ કોન્ટેક્ટમાં આવ્યા હોય, આવા લોકોને સાત દિવસ ક્વોરેન્ટાઈન કરાયા હોય, અને ત્યાર પછી તેઓને લક્ષણ હોય તો જ તેમના ટેસ્ટીંગ થશે. તે સિવાસ ટેસ્ટીંગ કરી શકાય તેવુ નથી. ટેસ્ટીંગ મર્યાદિત સંશાધન છે. સુપરસ્પ્રેડર, સિનિયર સિટીઝન કે લક્ષણો ધરાવતા લોકોમાં, અથવા ગંભીર
પરિસ્થિતિમાં જ ટેસ્ટીંગ કરાયા છે. જો તમારી ઓફિસમાં એક વ્યક્તિ પોઝિટિવ આવે અને બીજા દિવસે ટેસ્ટ કરાવશે તો તમામ રિપોર્ટ નેગેટિવ આવશે. વાયરસ ધીમે ધીમે ટ્રાન્સક્યુબ થાય છે. તેથી તમારી આસપાસ કોઈ કેસ પોઝિટિવ આવે તો તેના પરિવાર, સંપર્કમાં આવેલા લોકોએ સાત દિવસ હોમ ક્વોરેન્ટાઈન બાદ લક્ષણો જણાય તે પછી ટેસ્ટીગનો આગ્રહ રાખો. 

બ્રેકિંગ : ગુજરાતના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ

સ્ક્રીનિંગ કાર્ડ ન હોય તેવા વેન્ડર પાસેથી શાકભાજી ન ખરીદો 
તેમણે વધુમાં જણાવ્યું કે, ગઈકાલથી અમે શાકભાજી વેન્ડરને કાર્ડ આપીને ચેકિંગ કરવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત 1437 લોકોનું ચેકિંગ થયુ. જેમાંથી લક્ષણો જણાયેલા 28 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. તેમના પર હાલ વોચ રખાઈ છે. ગંભીર લક્ષણો જણાશે તો તેઓના ટેસ્ટ કરાવાશે. પરંતુ અમારી નાગરિકોને અપીલ છે કે, તમે જે લારી પરથી શાકભાજી લો છો, તેની પાસે સ્ક્રીનિંગ કાર્ડ છે કે નહિ તે ચકાસો, અને તે ન હોય તો ત્યાંથી શાકભાજી ન લો. તમામ વેન્ડર્સ માસ્ક, સ્વચ્છતા જાળવતા હોય તો જ તેમની પાસેથી શાક લો. જેથી કરીને આવી વ્યક્તિ પાસેથી સંક્રમણ ન થાય.  

તબીબો પોતાની ખાનગી ક્લિનીક શરૂ કરે
વિજય નહેરાએ શહેરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોને અપીલ કરી હતી કે, અમદાવાદમાં પ્રાઈવેટ ક્લિનક, પ્રાઈવેટ ડોક્ટર્સ તાત્કાલિક અસરથી તેમની હોસ્પિટલ અને ક્લિનિક શરૂ કરે. જેથી નાગરિકોને આરોગ્યને લગતી અન્ય સેવાઓ મળી રહે. તબીબોતને કોઈ તકલીફ ન ખાય તે અમે ધ્યાન રાખીશું. જે પણ જરૂરિયાત હોય તે માટે અમારો સંપર્ક કરો. કપરા સમયમાં તમામ તબીબો હવે પોતાની હોસ્પટલ અને ક્લિનક ખોલે તે જરૂરી બની ગયું છે. 

ભચાઉ : યુવકના પોઝિટિવ કેસના રિપોર્ટ મામલે તંત્રએ મોટો છબરડો વાળ્યો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More