Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: રિસાયેલી પત્નીએ વાત કરવાની ના પાડતા પતિએ જાહેરમાં કર્યું એવું કૃત્ય કે...

શહેરનાં સરસપુર વિસ્તારમાં હત્યાની વિચિત્ર ઘટના સામે આવી છે. એક પતિએ તેની જ પત્નીની નિર્દયી બનીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોતાની પતિ અને પત્ની સાથે ઝગડાથી કંટાળીને યુવતી તેના પિયરમાં આવી હતી. ત્યાં તેનો પતિ તેની સાથે વાત કરવા આવ્યો હતો. પત્ની પતિ સાથે વાત કરવાની મનાઇ કરતા તેને લાગી આવ્યું હતું અને સસરાની હાજરીમાં જ જમાઇએ કમરમાંથી છરો કાઢીને પત્નીના ગળા પર ફેરવી દઇ ફરાર થઇ ગયો હતો. સમગ્ર મુદ્દે શહેરકોટડા પોલીસે તપાસ હાથ ધરી છે. 

અમદાવાદ: રિસાયેલી પત્નીએ વાત કરવાની ના પાડતા પતિએ જાહેરમાં કર્યું એવું કૃત્ય કે...

અમદાવાદ : શહેરનાં સરસપુર વિસ્તારમાં હત્યાની વિચિત્ર ઘટના સામે આવી છે. એક પતિએ તેની જ પત્નીની નિર્દયી બનીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોતાની પતિ અને પત્ની સાથે ઝગડાથી કંટાળીને યુવતી તેના પિયરમાં આવી હતી. ત્યાં તેનો પતિ તેની સાથે વાત કરવા આવ્યો હતો. પત્ની પતિ સાથે વાત કરવાની મનાઇ કરતા તેને લાગી આવ્યું હતું અને સસરાની હાજરીમાં જ જમાઇએ કમરમાંથી છરો કાઢીને પત્નીના ગળા પર ફેરવી દઇ ફરાર થઇ ગયો હતો. સમગ્ર મુદ્દે શહેરકોટડા પોલીસે તપાસ હાથ ધરી છે. 

હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ

સરસપુરમાં રહેતા દેવરાય વાડદેને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્રો છે અને તે નિવૃત જીવન ગુજારે છે. તેમાંથી એક દીકરી રાજશ્રી પાંચેક વર્ષથી અમદાવાદમાં તેના પતિ શૈલેષ ગાડગે સાથે રહે છે. પતિ શૈલેષ સાથે ખટરાગ થતા રાજશ્રી પાંચ માસથી તેના બાળક સાથે તેના પિતા દેવરાયના ત્યાં રહેવા માટે આવી હતી. 

અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં સાદગી રીતે ઉજવાયો સ્વતંત્રતા દિવસ

શુક્રવારે સાંજે રાજશ્રીનો પતિ ત્યાં આવ્યો હતો. બહાર દેવરાય બેઠા હોવાથી તેમણે શૈલેષને પુછ્યું કે તુ કેમ આવ્યો છે. શૈલેશે રાજશ્રી સાથે વાત કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. દેવરાયે રાજશ્રીને બોલાવતા તે આવી હતી અને શૈલેશ સાથે વાત કરવાની ના પાડી હતી. બંન્ને પતિ પત્ની વાતો કરી રહ્યા હતા અને અચાનક શૈલેષે આવેશમાં આવીને પત્નીને ગાળો આપવા લાગ્યો હતો. અચાનક જ શૈલેષે તેના પર છરી મારાનો પ્રયાસ કર્યો તો રાજશ્રીને મોઢાના ભાગે વાગી હતી. પોતાના બચાવમાં રાજશ્રી દોડી તો શૈલેષે પીછો કરીને તેને ધક્કો મારીને પાડી દીધી હતી અને રાજશ્રીના ગળાના ભાગે છરી મારીને ભાગી ગયો હતો. રાજશ્રીને તત્કાલ સારવાર માટે લઇ જતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. શૈલેષ સામે હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More