ભરૂચઃ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નજીક છાપરા ગામ પાસે ચાર વાહનો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ઘાયલ અન્ય 5 વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
અંક્લેશ્વર ગોલ્ડન બ્રિજ છાપરા નજીક એક કાર સામેથી આવી રહેલી રીક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેની અડફેટે બે મોટરસાઈકલ ચાલક પણ આવી ગયા હતા. રીક્ષાને કારની એટલી જોરદાર ટક્કર લાગી હતી કે, રીક્ષાનો પાછળની સીટનો ભાગ ચેસિસ સાથેથી છૂટો પડી ગયો હતો. કારનું પણ આગળનું ટારય નીકળી ગયું હતું અને તેની સ્પ્રીંગ બહાર આવી ગઈ હતી.
ચાર વાહનો વચ્ચે થયેલા આ ભીષણ અકસ્માતના પગલે ભરૂચ - અંકલેશ્વરને જોડતા ગોલ્ડનબ્રિજ અને નેશનલ હાઇવે-૮ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માત થતાં ઘટનાસ્થળે હાજર લોકોએ 108 બોલાવીને ઘાયલ થયેલી 5 વ્યક્તિને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ કાર્યક્રમમાં અચાનક કરાયો મોટો ફેરફાર, જાણો શું થયું
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે