Home> Gujarat
Advertisement
Prev
Next

હે રામ! સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા સંતનું કરોડોનું ગફલું, ત્યાગવલ્લભ સ્વામીના ખુલાસા બાદ ફરાર!

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ત્યાગ વલ્લભ સ્વામી પર 32.26 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. હરિધામ સોખડા સાથે સંકળાયેલા ત્યાગવલ્લભ સ્વામી પર 20 બેંક ખાતા દ્વારા આ છેતરપિંડી કરવાનો આરોપ છે.

હે રામ! સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા સંતનું કરોડોનું ગફલું, ત્યાગવલ્લભ સ્વામીના ખુલાસા બાદ ફરાર!

Who is Tyagvallabh Swami: રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં 33 કરોડના કૌભાંડમાં સ્વામી નારાયણ સંપ્રદાયના સંત ત્યાગવલ્લભ સ્વામીની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હરિધામ સોખડાના ત્યાગવલ્લભ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમના પર આરોપ છે કે તેમણે ચેરિટીમાં મળેલી રકમનો ઉપયોગ અંગત હેતુ માટે કર્યો હતો.

ઉત્તર ભારતમાં BJP નો ચહેરો બનશે નીતિન પટેલ? મોદી સહિત 4 CM સાથે કરી ચૂક્યા છે કામ

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ત્યાગ વલ્લભ સ્વામી પર 32.26 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. હરિધામ સોખડા સાથે સંકળાયેલા ત્યાગવલ્લભ સ્વામી પર 20 બેંક ખાતા દ્વારા આ છેતરપિંડી કરવાનો આરોપ છે. આ સમગ્ર કૌભાંડ રાજકોટ સ્થિત આત્મીય યુનિવર્સિટી સાથે સંબંધિત છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્વામી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ફરાર થઈ ગયા છે. 

ફિલ્મ 'આદિપુરુષ' વિવાદમાં હવે મોરારી બાપુએ ઝંપલાવ્યું, કહ્યું; નાટક બનાવો કે ફિલ્મ..

આ મામલામાં કુલ ચાર લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ ત્યાગ વલ્લભ સ્વામીની શોધખોળ ચાલી રહી છે. ઘણા દાયકાઓ પહેલા, હરિપ્રસાદ સ્વામી, જેઓ સ્વામી નારાયણ સંપ્રદાયના એક મહત્વપૂર્ણ સંત હતા, તેમણે હરિધામ સોખડાને અલગ કરીને સ્થાપના કરી હતી. ત્યાગ વલ્લભ સ્વામી હરિધામથી સોખડા સાથે જોડાયેલા છે.

છેલ્લા 15 દિવસમાં 6 યુવકોના મોત; આજે વધુ એક દુર્ઘટના, 3 નિર્દોષ લોકોને કચડી માર્યા

યુનિવર્સિટી પ્રવેશ પ્રતિબંધ
રાજકોટ આત્મીય યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના કૌભાંડનો મામલો હાલ ગરમ છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ 32.26 કરોડનું કૌભાંડ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. તેમની સામે તાલુકા પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે, જોકે ત્યાગવલ્લભ સ્વામી હાલ ફરાર છે. બીજી તરફ મામલો ઉગ્ર બનતા તેમને યુનિવર્સિટીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સ્વામીએ 20 લોકોના નામે ખાતા ખોલાવીને ફર્જિવાડાને અંજામ આપ્યો હતો.

શું ગુજરાતમાં આ વર્ષે ચોમાસું જ નથી? જાણો ચોમાસા માટે ગુજરાતીઓને કેટલી જોવી પડશે રાહ

સ્વામી સામે ગંભીર આરોપો
ત્યાગ વલ્લભ સ્વામી પર આરોપ છે કે તેમણે ચેરિટીમાં મળેલી રકમનો ઉપયોગ પોતાના અંગત કાર્યોમાં કર્યો છે. સેવકો વતી આ આક્ષેપ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, ત્યાગ વલ્લભ સ્વામી પર એવા આરોપો છે કે તેમણે મનસ્વી રીતે કામ કર્યું અને પોતાના હિસાબે ફંડનો ખર્ચ કર્યો. ત્યાગ વલ્લભ સ્વામીએ નાણાકીય વ્યવહારો માટે લગભગ 20 ખાતા ખોલ્યા હતા. એટલું જ નહીં આ તમામ ખાતા સત્સંગીઓના નામે હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી 9 બેંક ખાતા મહિલા સત્સંગીઓના નામે હોવાનું બહાર આવ્યું છે. આરોપ છે કે તેણે આ તમામ બેંક ખાતા અને જમીનના દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા છે.

આ તે કયુ ડ્રિંક? જેને લઈને પીએમ મોદી બાઈડન સાથે ચિયર્સ કરતા જોવા મળ્યા...ખાસ જાણો

આગોતરા જામીન અરજી
રાજકોટ પોલીસના એસીપી સાઉથ ઝોન બી.જે.ચૌધરીના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે ત્યાગ વલ્લભ સ્વામીએ સત્સંગના નામે 20 બેંક ખાતા ખોલાવ્યા હતા. સાધ્વીના નામે 9 ખાતા હોવાની આશંકા છે. ત્યાગ વલ્લભ સ્વામીએ આગોતરા જામીન માટે અરજી કરી હોવાનું પણ સામે આવ્યું છે. સોમવારે કોર્ટમાં આ અંગે સુનાવણી થઈ શકે છે.

Jio લાવી રહ્યો છે વિશ્વનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન! જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More