Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં 10મા માળેથી નવજાત બાળકનો કરાયો ઘા, બાળક કોનું અને હત્યા કોને કરી તે અકબંધ

પોલીસને તપાસમાં સામે આવ્યું કે 9માં મળે ફેંકતી વખતે બાળક સેડ ઉપર બાળકના લોહીનું નિશાન મળી આવ્યું છે. પોલીસ એફએસએલની મદદ લઈ તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં 10મા માળેથી નવજાત બાળકનો કરાયો ઘા, બાળક કોનું અને હત્યા કોને કરી તે અકબંધ

ઉદય રંજન/અમદાવાદ: શહેરના ચાંદખેડામાં નવજાત બાળકની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસને શંકા છે કે બાળકને 10 માળેથી નીચે ફેંકી કરી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ એફએસએલની મદદ લઈ તપાસ શરૂ કરી છે.

શું યુવરાજસિંહને સતાવી રહ્યો છે ડર? મેઈલ કરી પત્નીએ પોલીસ પાસે માંગ્યો સમય

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ સ્કાય વોક એપાર્ટમેન્ટના સિકયુરિટી ગાર્ડ દ્વારા પોલીસને મેસેજ મળ્યો કે એક નવજાત બાળકની લાશ મળી છે. જેથી પોલીસ તાત્કાલિક જઈ તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને 10માં માળ અથવા છત ઉપરથી ફેંકીને હત્યા કરી છે. પોલીસને તપાસમાં સામે આવ્યું કે 9માં મળે ફેંકતી વખતે બાળક સેડ ઉપર બાળકના લોહીનું નિશાન મળી આવ્યું છે.

વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ આ 4 રાશિના જીવનમાં લાવશે ખુશીઓ, પૂરા થશે સપના

મળતી માહિતી પ્રમાણે બાળકને જન્મના 1-2 દિવસ થયા હોય શકે છે. જેથી પોલીસે એપાર્ટમેન્ટમાં તમામ બલોકમાં તપાસ શરૂ કરી છે અને એપાર્ટમેન્ટમાં કોઈ મહિલા ગર્ભવતી હતી કે કેમ? શું કોઈ બહારથી આવીને બાળકની હત્યા કરી છે. બાળકની હત્યા પાછળનું કારણ શું છે તે તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આગામી 5 દિવસ ગુજરાત પર ભારે! આ વિસ્તારોમાં વેર વાળશે વરુણદેવ, ખેદાન-મેદાન થઈ જશે બધુ

જોકે પોલીસના માટે 2-3 કારણો હોઈ શકે છે. જેમાં ઘર કંકાસ પણ હોઇ શકે છે. મહત્વનું છે કે બાળકનો જન્મ ઘરમાં થયું હોય એવું પણ સામે આવી રહ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More