અમરેલી/કેતન બગડા: બાબરાના ગોખલાણા ગામની સીમમાં કૂવામાં પથ્થર સાથે બાધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. પ્રથમિક તપાસમાં યુવાન કલોકાક ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં યુવાની હત્યા થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પંદર દિવસ પહેલા આ યુવાન ઘરેથી ફોન આવતા રાત્રી દરમિયાન બહાર ગયો હતો ત્યાર બાદથી તે પાછો ફર્યો નથી. ત્યારબાદ અવાવરૂ જગ્યામાં એક કુવામાં તેની પથ્થર સાથે બાંધેલી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને યુવાની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી.
એલસીબી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં પાંચ જેટલા લોકો દ્વારા હત્યા કરવામાં આવી હોઇ શકે છે. યુવકની હત્યા કરાતા પરિવાર નોધારો થઇ ગયો હતો. પોલીસે સમગ્ર મામલો હત્યાના ગુન્હો નોંધીને હત્યારાઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે