ઉદય રંજન/અમદાવાદ: શાસ્ત્રીનગરમાં આવેલ હેપી હોમ એપાર્ટમેન્ટમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે..મૂળ બનાસકાંઠાનો અને અમદાવાદમાં ભાડે મકાન રાખી રહેતો 23 વર્ષીય ભૌતિક કુમાર ફૂડ ડિલિવરી નોકરી કરતો હતો અને ફ્લેટ ભાડે રાખી પોતાના ભાઈ સાથે રહેતો હતો.
માવઠાથી ક્યારે મુક્તિ મળશે? આવી ગઈ અંબાલાલ કાકાની નવી આગાહી
મૃતક યુવક ભૌતિક નોકરી કરતો ત્યાં પીઝા શોપ માં રહેલા ટુ વ્હીલરમાંથી પેટ્રોલની ચોરી કરતા પકડાયો હતો જે બાદ દુકાન માલિક દ્વારા યુવકને ધમકાવી માર માર્યો હોવાનો મૃતકના પરિવારજનો આક્ષેપ કર્યા છે. અને મૃતકના પરિવાર કહેવું છે કે દુકાન માલિક દ્વારા તેને માર મારીને હત્યા કરી છે. પરંતુ પોલીસે આક્ષેપ પગલે પેનલ ડૉક્ટરથી પીએમ કરાવ્યું છે. જેમાં પ્રાથમિક તપાસમાં ગળે ફાંસો ખાવાથી મોત થયું હોવાનું તારણ આવ્યું છે.
ખેતરમાં ઘઉંના પાકમાં અચાનક ફાટી નીકળી આગ, વીજળી કે આગ નહીં આ કારણ જાણીને રોઈ પડશો
યુવકના શરીર પર લાગેલા નિશાન ને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ નારણપુરા પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે