દ્રારકા: આજે દ્વારકાના શારદામઠ ખાતે ભગવાન આદિ શંકરાચાર્યજીની 2525મી જન્મજયંતી ઉત્સાહપુર્વક ઉજવવામાં આવી. આ પ્રસંગે સાધુસંતો સાથે સમાજના શ્રેષ્ઠીઓએ પાદુકા પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
દ્વારકાધીશ જગતમંદિરમાં ભગવાનને ગરમીથી બચાવવા રોજે રોજ નીત નવા પુષ્પોનો શ્રૃંગાર
ભગવાન આદિ શંકરાચાર્યજીની 2525મી જન્મજયંતીના આ શુભ પ્રસંગે ધાર્મિક વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને દ્વારકા જગત મંદિરના શીખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
જુઓ LIVE TV
આ પ્રસંગે બ્રહ્મચારી સ્વામીજી એ ખુબજ સરળ ભાષામાં શ્રી આદિશંકરાચાર્યજીના જન્મ થી લઇને તેમના દિવ્યજીવન વિષે માહિતગાર કર્યા હતા.આ પ્રસંગે સમુહપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે