Home> Gujarat
Advertisement
Prev
Next

વાંકાનેર : સલામત સવારી કહેવાતી STની બે બસો સામસામે અથડાઈ, 25થી વધુ મુસાફરો ઘાયલ

ગુજરાત (Gujarat) ની એસટી બસો (ST Bus) ની મુસાફરી જરા પણ સલામત રહી નથી. મોરબી જિલ્લામાં બે એસટીની બસો સામસામે અથડાઈ છે. વાંકાનેર (Wankaner) તાલુકાના ખેરવા ગામ પાસે આ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એસટીના ડ્રાઇવર સહિત 25થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. તો બીજી તરફ, એક ડ્રાઈવરની હાલત ગંભીર છે, જેને રાજકોટ (Rajkot) માં સારવાર માટે ખસેડાયો છે. તો બીજી બસનો ડ્રાઈવર બસમાં જ ફસાયો હતો. જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. 

વાંકાનેર : સલામત સવારી કહેવાતી STની બે બસો સામસામે અથડાઈ, 25થી વધુ મુસાફરો ઘાયલ

હિમાંશુ ભટ્ટ/મોરબી :ગુજરાત (Gujarat) ની એસટી બસો (ST Bus) ની મુસાફરી જરા પણ સલામત રહી નથી. મોરબી જિલ્લામાં બે એસટીની બસો સામસામે અથડાઈ છે. વાંકાનેર (Wankaner) તાલુકાના ખેરવા ગામ પાસે આ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એસટીના ડ્રાઇવર સહિત 25થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. તો બીજી તરફ, એક ડ્રાઈવરની હાલત ગંભીર છે, જેને રાજકોટ (Rajkot) માં સારવાર માટે ખસેડાયો છે. તો બીજી બસનો ડ્રાઈવર બસમાં જ ફસાયો હતો. જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. 

આંગણવાડી કાર્યકર્તા અને અધિકારીનો ફોન ચાલુ ફરજમાં સ્વીચ ઓફ આવતા CM રૂપાણી થયા લાલઘૂમ

અંબાજીના ત્રિશુળીયા ઘાટ પર બનેલ અકસ્માતનો બનાવ હજી તાજો જ છે, ત્યાં વાંકાનેરમાં બે બસ સામેસામે ટકરાવાનો બનાવ બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, એક એસટીના ડ્રાઈવરે બેકાબૂ બનીને સ્પીડમાં એસટી બસ હંકારતા અન્ય એસટી બસને ટક્કર થઈ હતી. જેને કારણે આ અકસ્મત સર્જાયો હતો. સામસામે ટકરાવ થતા બંને બસના આગળનો ભાગનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્ત બંને ડ્રાઈવર કેબિનમાં ફસાયા હતા. ત્યારે કાચ અને પતરા તોડીને બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા.

 સુરત બાદ આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજરી આપશે રાહુલ ગાંધી 

અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તથા ડેપો મેનેજર પણ તાત્કાલિક પહોંચ્યા હતા. બસમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હોવાથીઈજાગ્રસ્તોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More