Home> Gujarat
Advertisement
Prev
Next

ટાંકી સાફ કરવા ઉતરેલા 2 મજુરોના ગૂંગળામણના લીધે મોત

અમદાવાદના સુએજ ફાર્મ રોડ પાસે આવેલા ગુલાબનગરમાં હાજી વોશ કંપનીમાં કામ કરતા બે મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા. વોશિંગ કંપનીમાં કામ કરતા બન્ને મજૂરો ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામણના  કારણે મોત થયા હોવાનું પોલીસનું માનવું છે. જેમાંથી ટાંકીમાં ઉતરેલા હરિકિશન રાવત અને મલખાન નામના વ્યક્તિઓ ઘણા સમય સુધી ટાંકીમાંથી બહાર ન આવતા તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં ટાંકીમાં પડ્યા હતા.

ટાંકી સાફ કરવા ઉતરેલા 2 મજુરોના ગૂંગળામણના લીધે મોત

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના સુએજ ફાર્મ રોડ પાસે આવેલા ગુલાબનગરમાં હાજી વોશ કંપનીમાં કામ કરતા બે મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા. વોશિંગ કંપનીમાં કામ કરતા બન્ને મજૂરો ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામણના  કારણે મોત થયા હોવાનું પોલીસનું માનવું છે. જેમાંથી ટાંકીમાં ઉતરેલા હરિકિશન રાવત અને મલખાન નામના વ્યક્તિઓ ઘણા સમય સુધી ટાંકીમાંથી બહાર ન આવતા તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં ટાંકીમાં પડ્યા હતા.

આ અંગે 108 ને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે ડોક્ટરે  બન્નેને મૃત જાહેર કર્યા. હાલ પોલીસે પરીવારનો સંપર્ક કરી વધુ વિગતો જાણવા પ્રયાસો શરૂ કર્યા છે. દાણીલીમડા પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન હાજી વોશિંગ કંપની છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને એસ્ટેટ માલિકે ભાડેથી જીન્સ વોશિંગ કરનારને શેડ ભાડેથી આપ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે કારખાના માલિકની બેદરકારી સામે આવશે તો પોલીસ તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More