Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: સામાન્ય બાબતે થયેલી તકરાર લોહીયાળ બની, 16 વર્ષના સગીરની હત્યા 

 શહેરના અતિસંવેદનશીલ એવા જુહાપુરા વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે.

અમદાવાદ: સામાન્ય બાબતે થયેલી તકરાર લોહીયાળ બની, 16 વર્ષના સગીરની હત્યા 

જાવેદ સૈયદ, અમદાવાદ:  શહેરના અતિસંવેદનશીલ એવા જુહાપુરા વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. જુહાપુરામાં આવેલી સિદ્દીકાબાદ કોલીનીમાં 15 વર્ષના સમીર નામના તરુણની 18 વર્ષના તરુણે સામાન્ય બાબતમાં હત્યા કરી નાખી. 

રાજકોટ: પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવનો આજે આઠમો દિવસ, 600 કૂંડીય યજ્ઞનું આયોજન

મળતી માહિતી મૃતક સમીરનો પરિવાર કોલોનીમાં શાકભાજીની દુકાન ધરાવે છે. આરોપી અહદખાન પઠાણ દુકાન પર ખરીદી કરવા આવ્યો હતો. અહદ ખાનની સમીર સાથે સામાન્ય બાબતમાં તકરાર થઈ હતી. ત્યારબાદ આવેશમાં આવીને આરોપી અહદ પોતાના ઘરેથી છરી લઈ આવ્યો અને સમીરના ગળાના ભાગે છરી મારી તેની હત્યા કરી નાખી.

LRD પેપર લીક કૌભાંડ: રોજ નીતનવા ખુલાસા, બાયડથી વધુ એક શખ્સની અટકાયત

પરિવારજનોના કહેવા મુજબ સમીરને અંગુઠો ચુસવાની આદત હતી. આ જ આદતને લઈને અહદ તેની સાથે મજાક કરતો હતો. ઘટનાના દિવસે પણ અહદે મજાક કરતા સમીરે તેને લાફો મારી દીધો અને ત્યારબાદ આવેશમાં આવી અહદે સમીરની હત્યા કરી નાંખી હતી. સરખેજ પોલીસે હાલ તો સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More