Home> Gujarat
Advertisement
Prev
Next

માનવતાની મિસાલ! 7 દિવસ જિંદગી-મોત વચ્ચે ઝઝુમી રહેલા વ્યક્તિના અંગદાનથી 3ના જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો!

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૭ મું અંગદાન, બ્રેઇન ડેડ રાજારામ જયસ્વાલના અંગદાનથી ત્રણને નવજીવન મળશે, બે કિડની અને એક લીવરનું દાન મળ્યુ છે સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે.

માનવતાની મિસાલ! 7 દિવસ જિંદગી-મોત વચ્ચે ઝઝુમી રહેલા વ્યક્તિના અંગદાનથી 3ના જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો!

ઝી બ્યુરો/અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં 137 મું અંગદાન થયું છે. અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતા 65 વર્ષના રાજારામ જયસ્વાલના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળશે. 14 મી નવેમ્બરે હેમરેજ થતાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં 7 દિવસની સઘન સારવાર ના અંતે તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યાં હતાં.

કાતિલ ઠંડી નહીં, ગાજવીજ સાથે ગુજરાતમાં પડશે વરસાદ, અમદાવાદ સહિત આ વિસ્તારો માટે ખતરો

7 દિવસ જીંદગી અને મૃત્યુ વચ્ચે ઝઝુમી જ્યારે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા ત્યારે સમગ્ર પરિવાર પર આભ તુટી પડ્યું હતું. પરંતુ આવી દુ:ખની ઘડીમાં પણ પરોપકાર ભાવ સાથે પરિજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કરીને ત્રણ જરુરિયાતમંદોના જીવનમાં સુખનો સૂરજ ઉગાડ્યો. બ્રેઇન ડેડ રાજારામના અંગોના રીટ્રાઇવલના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યુ જેને સિવિલ મેડિસિટીની જ કિડની હોસ્પિટલમા દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે.

CNG વાહનચાલકોને હવે લાંબી કતારોમાંથી મળશે મુક્તિ, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશીએ આ અંગદાનના સંદર્ભે જણાવ્યું હતું કે, દિવાળી બાદ નવા વર્ષમાં આ જયસ્વાલ પરિવાર તરફથી કરવામાં આવેલ અંગદાને માનવતાની મિસાલ પ્રસ્થાપિત કરી છે. સિવિલમાં અત્યારસુધીમાં થયેલ 137 અંગદાનમાં 440 અંગો મળ્યાં છે.

ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ! 3 પોલીસ કર્મી સહીત 7 TRB જવાનો સસ્પેન્ડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More