Home> Gujarat
Advertisement
Prev
Next

લગ્ન પહેલા પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામ! ગુસ્સાની આગમાં બળી રહેલા પ્રેમિકાના ભાઈએ ખેલ્યો લોહિયાળ જંગ

નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં ધોળા દિવસે સરા જાહેર ખૂની ખેલ ખેલાયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના બે પરિવાર વચ્ચે લગ્ન પહેલાના પ્રેમ સબંધને લઈ અદાવત થઈ હતી.

લગ્ન પહેલા પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામ! ગુસ્સાની આગમાં બળી રહેલા પ્રેમિકાના ભાઈએ ખેલ્યો લોહિયાળ જંગ
Updated: Jul 04, 2023, 07:26 PM IST

ધવલ પરીખ/નવસારી: લગ્ન પહેલા પાંગરેલા પ્રેમ સબંધનો નવસારીમાં કરુણ અંજામ આવ્યો હતો. પોતાની બહેન જોડે પ્રેમ સબંધ હોવાનીની હકીકત જાણતા ભાઈ એ વિજલપોર વિસ્તારમાં ધોળા દિવસે સરા જાહેર 33 વર્ષીય યુવાનની ઘાતકી હત્યા કરી દીધી હતી. 

મેઘો ફરી બોલાવશે ધબધબાટી! ગુજરાતમાં આ તારીખે શરૂ થશે વરસાદ, જાણો શું કરાઈ મોટી આગાહી

નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં ધોળા દિવસે સરા જાહેર ખૂની ખેલ ખેલાયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના બે પરિવાર વચ્ચે લગ્ન પહેલાના પ્રેમ સબંધને લઈ અદાવત થઈ હતી. વિજલપોર વિસ્તારના ક્રિષ્ના નગર ખાતે રહેતા ધર્મેન્દ્ર સોનકરને આ વિસ્તાર માંજ રહેતા દિનેશ સોનકરની બહેન જોડે પ્રેમ સબંધ બંધાયો હતો. જે સબંધને લઈ બંને સોનકર પરિવારો વચ્ચે ખટરાગ પેદા થયો હતો. પ્રેમ સબંધને લઈ અગાઉ ઝઘડા પણ થયા હતા. 

ગુજરાતનો ચર્ચિત કિસ્સો: મહિલાના કૂખે જન્મ્યું ભૂરા રંગનું બાળક! સામે આવ્યું ચોંકાવ..

જોકે બાદમાં દિનેશની બહેનના યુપી ખાતે લગ્ન કરી દેવાયા હતા. બીજી તરફ ધર્મેન્દ્ર પણ લગ્ન કરી બે બાળકોનો પિતા બન્યો હતો. હાલ જ્યારે યુપી ખાતેથી દિનેશની બહેન નવસારી આવતા ફરી પ્રેમ સબંધને કારણે થયેલી દુશ્મનીનું ભૂત ધુણવા લાગ્યું હતું. દિનેશ ગુસ્સાની આગમાં બળી રહ્યો હતો. તે દરમિયાન બપોરના સમયે વિજલપોર વિસ્તારમાં આવેલ એક લોન્ડ્રી નજીક ધર્મેન્દ્ર સોનકર ઉભો હતો. ત્યારે દિનેશ સોનકર અચાનક ત્યાં ધસી ગયો હતો. ધર્મેન્દ્ર કઈક સમજે તે પહેલા દિનેશ ત્રણથી ચાર જેટલા તીક્ષ્ણ ચપ્પાના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો.

ઉ. ગુજરાતના બાળકો હવે સેનામાં જોડાઈ દેશની સેવા કરશે! દેશની પહેલી સૈનિક સ્કૂલનું ખાતમ

બીજી તરફ અચાનક થયેલા હુમલાના કારણે ધર્મેન્દ્ર લોહી લુહાણ હાલતમાં રસ્તા ઉપર ફસડાઈ પડ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ધમેન્દ્રની ઘાતકી હત્યાના કારણે સોનકર પરિવારના માથે આભ તુટી પડયું હતું. તેના બે બાળકો અને પત્ની નિરાધાર થયા હતા.

અનાજથી વરતારો કાઢવાની અનોખી રીત : ધાન્યની વધ-ઘટથી થાય છે આગાહી

હત્યાને લઈ ધમેન્દ્રના ભાઈએ દિનેશ સોનકર વિરૂદ્ધ વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ દોડતી થયેલી પોલીસે ગણતરીના કલાકોમાં ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયેલા દિનેશ સોનકરને ઝડપી પાડ્યો હતો. હાલ વિજલપોર પોલીસ આ મામલામાં આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી સાથે આગળની તપાસ કરી રહી છે. 

અંબાણી બ્રધર્સઃ એક આકાશ અને બીજા પાતાળમાં કેવી રીતે પહોંચ્યા? જાણો કહાની

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે