Home> Entertainment
Advertisement
Prev
Next

રાણી મુખરજીએ પતિને સાથે લઈને છોડી દીધું સાસરાનું ઘર કારણ કે...

ફિલ્મમેકર આદિત્ય ચોપડા અને એક્ટ્રેસ પત્ની રાની મુખરજી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે

રાણી મુખરજીએ પતિને સાથે લઈને છોડી દીધું સાસરાનું ઘર કારણ કે...

મુંબઈ : ફિલ્મમેકર આદિત્ય ચોપડા અને તેની પત્ની રાની મુખરજીએ યશ ચોપડાનો બંગલો છોડી દીધો છે. તેમણે આ ઘરની નજીક પોતાનું આલિશાન ઘર લીધું છે. હકીકતમાં આદિત્ય અને રાની પહેલાં યશ ચોપડાના જુહૂ ખાતેના બંગલામાં રહેતા હતા પણ હવે તેઓ પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં ગૃહ પ્રવેશની પૂજા પણ કરવામાં આવી હતી. યશ ચોપડાના ઘરમાં આદિત્ય અને ઉદયે પોતાનું બાળપણ પસાર કર્યું હતું અને નવું ઘર આ જુના ઘરથી બે મિનિટના અંતર પર જ છે. 

Exclusive! પૂજા સાથે લગ્ન કરતા જ નવાબ શાહને લાગી મોટી લોટરી

પરિવારના નજીકના મિત્રોએ આપેલી માહિતી પ્રમાણે લગ્ન પછી આદિત્ય પોતાનું ઘર બનાવવા માગતો હતો અને પોતાની શરતો પ્રમાણે એ ઘરમાં રહેવા ઇચ્છતો હતો. રાની અને આદિત્યએ 2014માં સિક્રેટ લગ્ન કર્યા હતા અને 2015માં દીકરી આદિરાનો જન્મ થયો હતો. 

મોટા પડદા પર છેલ્લે 2018માં ફિલ્મ  'હિચકી'માં જોવા મળેલી અભિનેત્રી રાની મુખરજી ફરીથી શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. તેણે 2014ની પોતાની હિટ ફિલ્મ 'મર્દાની'ની સીક્વલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. યશરાજ ફિલ્મ્સે બુધવારે કહ્યું કે, રાની 'મર્દાની 2'ના સેટ પર પરત આવી ગઈ છે. આ ફિલ્મના પોસ્ટરમાં રાની ગંભીર પોલીસ અધિકારીના લુકમાં જોવા મળી રહી છે. 'મર્દાની'ના પ્રથમ ભાગનું દિગ્દર્શન પ્રદીપ સરકારે કર્યું હતું. 'મર્દાની 2'નું દિગ્દર્શન ડિરેક્ટર ગોપી પુથરણ દ્વારા કરવામાં આવશે. ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થાય તેવી સંભાવના છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More