નવી દિલ્હી; ટીવી અભિનેત્રી લીના આચાર્ય(Leena Acharya)નું શનિવારે દિલ્હીમાં નિધન થયું. લીનાનું મૃત્યુ કિડની ફેલ થવાના કારણે થયું. લીના આચાર્યે અનેક જાણીતા ટીવી શો અને વેબ સિરીઝમાં કામ કર્યું હતું.
અભિનેત્રી લીના આચાર્યે વેબ સિરીઝ 'ક્લાસ ઓફ 2020' અને ટીવી શો 'શેઠજી', 'આપ કે આ જાને સે', અને 'મેરી હાનિકારક બીવી'માં કામ કર્યું હતું. આ ઉપરાંત લીના આચાર્યે રાણી મુખરજીની ફિલ્મ હિચકીમાં પણ કામ કર્યું હતું.
અત્રે જણાવવાનું કે લીના છેલ્લા એક વર્ષથી કિડનીની બીમારીથી પીડિત હતી. લીનાનો જીવ બચાવવા માટે તેની માતાએ લીનાને કિડની ડોનેટ કરી હતી પરંતુ આમ છતાં લીનાનો જીવ બચી શક્યો નહીં અને શનિવારે તેણે છેલ્લા શ્વાસ લીધા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે