Home> Entertainment
Advertisement
Prev
Next

સોનુ સુદે શું કામ તાણી છે ઝાંસી કી રાની સામે તલવાર ? પોતાના મોંથી કર્યો ચોંકાવનારો ખુલાસો

સોનુ સુદે એકાએક મણિકર્ણિકા છોડવાનો નિર્ણય લઈ લીધો હતો

સોનુ સુદે શું કામ તાણી છે ઝાંસી કી રાની સામે તલવાર ? પોતાના મોંથી કર્યો ચોંકાવનારો ખુલાસો

મુંબઇ : રણવીર સિંહ સાથે 'સિમ્બા'માં ધમાલ મચાવનાર બોલિવૂડ એક્ટર સોનુ સુદ એક તબક્કે 'મણિકર્ણિકા ધ ક્વિન ઓફ ઝાંસી'ના મુદ્દે વિવાદવા વંટાળમાં ફસાયો હતો. હકીકતમાં સોનુ આ ફિલ્મમાં એક મહત્વનો રોલ કરી રહ્યો હતો અને આ માટે તેણે શૂટિંગ પણ કર્યું હતું. જોકે સોનુએ એકાએક આ ફિલ્મ છોડવાની જાહેરાત કરતા લોકોને ભારે આંચકો લાગ્યો હતો. આ સમયે મીડિયામાં ચર્ચા હતી કે આ ફિલ્મનું રિશૂટિંગ કંગના અને સોનુ વચ્ચે લડાઈનું કારણ બની છે. 

વિવેક ઓબેરોયને જ કેમ પસંદ કરવામાં આવ્યો મોદીજીના રોલ માટે...મગજનું દહીં કરતા સવાલનો આ રહ્યો જવાબ

સોનુ સુદે હવે આ મામલામાં પોતાનું નિવેદન આપ્યું છે. હાલમાં તેણે આ મામલાની મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું છે કે ''ફિલ્મના શૂટિંગ દરમિયાન એક તબક્કે ડિરેક્ટર અને કંગના વચ્ચે તાલમેલ નહોતો. તેઓ ઇચ્છતા હતા કે ફિલ્મનું રિશૂટિંગ કરવામાં આવે. હું કેટલાક ખાસ દ્રશ્યોનું જ રિશૂટિંગ કરી શકું એમ હતો. આ ફિલ્મનું જ્યારે એડિટિંગ કરવામાં આવ્યું ત્યારે મને અહેસાસ થયો જે સીન અમે શૂટ કર્યા હતા એ ફિલ્મમાંથી ગાયબ છે. આ પછી હું બહુ અપસેટ થઈ ગયો. મેં આ ફિલ્મ માટે બહુ મહેનત કરી હતી. આ પછી મને જ્યારે રિશૂટિંગ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં ના પાડી દીધી.''

સોનુએ મણિકર્ણિકા છોડી દીધા પછી આ ફિલ્મમાં ઝીશાન અય્યુબની એન્ટ્રી થઈ અને તેણે સોનુનો રોલ કર્યો. ઝીશાને મીડિયાને પોતાના રોલ વિશે માહિતી આપતા કંગનાના વખાણ કરતા કહ્યું કે કંગનાની સૌથી સારી વાત એ છે કે તેને ખબર છે કે તેને શું જોઈએ છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More