Taarak Mehta Ka Ooltah Chashmah Shailesh Lodha: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે શૈલેષ લોઢા ઘણા વર્ષો સુધી જોડાયેલા રહ્યા. 14 વર્ષનો સંગાથ રહ્યો પરંતુ હવે તેઓ આ શોમાંથી વિદાય લઈ ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મેકર્સ સાથે વિવાદ બાદ તેમણે આ શો છોડી દીધો પરંતુ શૈલેષ લોઢાએ હજુ સુધી આ અંગે ચૂપ્પી સાધી રાખી છે. પણ આમ છતાં રહી રહીને મહેતા સાહેબના દિલમાં કસક ઊઠી આવે છે અને પછી તે શબ્દોમાં ઉતરી આવે છે. આ વખતે પણ કઈક એવું જ જોવા મળ્યું છે. શૈલેષ લોઢાએ ઈન્સ્ટાગ્રામ પર ફરીથી કઈક એવું શેર કર્યું કે લોકોના કાન સળવળી ઉઠ્યા છે.
એવું તે શું લખ્યું?
શૈલેષ લોઢાના લખાણમાં જાદુ છે. તેઓ શબ્દોનો ઉપયોગ ખુબ સારી રીતે કરી જાણે છે. ઈશારા ઈશારામાં એવું સણસણતું કહી જાય છે કે વાત ન પૂછો. આ વખતે પણ કદાચ તેમણે એવું જ કઈક કહ્યું છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે...
औरों के हक का जोड़ा सब उसने
किसी के मन से जुड़ कर नहीं देखा,
इस बात से ही फितरत पता चलती है उसकी
जिसने भी उसे छोड़ा, मुड़ कर नहीं देखा
શૈલેષ લોઢાએ જેવી આ પોસ્ટ શેર કરી કે ખળભળાટ મચી ગયો. એવી અટકળો લાગી રહી છે કે આખરે શૈલેષ લોઢાએ આ વાત કોના માટે કહી? શું આ કટાક્ષ અસિત મોદી પર કરાયો હતો અને આ વાત તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે કરી રહ્યા હતા?
અત્રે જણાવવાનું કે શૈલેષ લોઢા અગાઉ પણ અનેક કલાકારો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી ચૂક્યા છે. દિશા વાકાણી, ગુરુચરણ સિંહ, મોનિકા ભદૌરિયા, નેહા મહેતા, નિધિ ભાનુશાળી, રાજ અનડકટ...આ કલાકારો શોમાં પાછા ફર્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે