Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંત આપઘાત કેસમાં યશરાજ ફિલ્મના કાસ્ટિંગ ડાયરેક્ટરથી પૂછપરછ, પોલીસે જણાવી આ વાત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત મામલે મુંબઇ પોલીસ બાંદ્રા સ્ટેશનમાં યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડાયરેક્ટરથી પૂછપરછ કરી રહી છે. અધિકારીએ શનિવારના આ જાણકારી આપી.

સુશાંત આપઘાત કેસમાં યશરાજ ફિલ્મના કાસ્ટિંગ ડાયરેક્ટરથી પૂછપરછ, પોલીસે જણાવી આ વાત

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત મામલે મુંબઇ પોલીસ બાંદ્રા સ્ટેશનમાં યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડાયરેક્ટરથી પૂછપરછ કરી રહી છે. અધિકારીએ શનિવારના આ જાણકારી આપી.

તેમણે જણાવ્યું હતું કે પોલીસ તપાસ કરી રહી છે કે કોઈ વ્યાવસાયિક દુશ્મની નહોતી, જેના કારણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં ગયો હતા. પોલીસે સમન્સ મોકલ્યા બાદ કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા શનિવારે બપોરે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન -9) અભિષેક ત્રિમુખેએ કહ્યું, શાનુ શર્મા યશ રાજ ફિલ્મ્સ સાથે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે સંકળાયેલા છે અને તેમની પૂછપરછ બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:- Nora Fatehiએ ફરી મચાવ્યો હંગામો, તેના ઠુમકા પર દીવાના થયા લોકો, જુઓ Video

બીજા અધિકારીએ કહ્યું કે, કેટલાક વધુ ફિલ્મ નિર્માણ ગૃહના પ્રતિનિધિઓને પણ આગામી કેટલાક દિવસોમાં પૂછપરછ માટે બોલાવી શકાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, શર્મા બોલિવૂડના લોકપ્રિય કાસ્ટિંગ ડિરેક્ટર છે અને તેણે રણવીર સિંહ, અર્જુન કૂપર, વાણી કપૂરની પ્રતિભાને ઓળખી અને યશ રાજ ફિલ્મ્સમાં તક મળી.

આ પણ વાંચો:- Sushant Suicide Case Update: હવે તપાસમાં સામે આવી આ નવી વાત

શર્માએ સુશાંત સિંહ રાજપૂત સાથે યશ રાજ ફિલ્મ્સના 'શુદ્ધ દેશી રોમાંસ' અને 'ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી' સાથે કામ કર્યું હતું. રાજપૂતનાં મૃત્યુ પછી, યશ રાજ ફિલ્મ્સે સુશાંત સાથે કરારની નકલ પોલીસ સમક્ષ રજૂ કરી હતી. આપને જણાવી દઈએ કે 14 જૂને સુશાંતનો મૃતદેહ બાંદ્રા ખાતેના તેના એપાર્ટમેન્ટમાં નૂઝથી લટકતો મળી આવ્યો હતો. (ઇનપુટ: એજન્સી ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More