મુંબઈ: 14 જૂનના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. તે અગાઉ આઠ જૂનના રોજ રિયા ચક્રવર્તીએ સુશાંતનું ઘર છોડી દીધુ હતું. અત્યાર સુધી એવું કહેવામાં આવતું તું કે સુશાંતના કહેવા પર રિયાએ આમ કર્યું હતું. તે આ સંબંધથી બહુ ખુશ નહતો. પરંતુ હવે રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ (Mahesh Bhatt) ની વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે જે કઈક અલગ જ કહાણી જણાવે છે. આ ચેટ આઠ જૂનના રોજની હતી. આ ચેટથી એવી અટકળો લાગી રહી છે કે રિયા પોતે જ સુશાંતથી અલગ થઈ હતી.
આ ચેટમાં રિયાએ મહેશ ભટ્ટને કહ્યું છે કે આયશા હવે ભારે દિલ અને રાહતના શ્વાસ સાથે આગળ વધી રહી છે. આપણો છેલ્લો કોલ આંખો ખોલનારો હતો. તમે મારા માટે એન્જલ છો. તમે ત્યારે પણ મારી સાથે હતાં અને આજે પણ મારી સાથે છો.
મહેશ ભટ્ટનો જવાબ
જેના પર જવાબ આપતા મહેશ ભટ્ટે કહ્યું કે હવે પાછું વળીને ન જોતી, જે જરૂરી છે તેને શક્ય બનાવો. આ પગલાંથી તમારા પિતા ખુશ થશે. તમારા પિતાને મારા તરફથી ખુબ ખુબ પ્રેમ.
રિયાએ મહેશ ભટ્ટનો આભાર પણ વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે તમારી સાથે મારી મુલાકાત આ દિવસ માટે જ થઈ હતી. આ મારું સદભાગ્ય છે કે હું તમને મળી. આ ચેટ સામે આવ્યાં બાદ હવે રિયા પર સવાલ ઉભા થયા છે. તેણે પોતે જ સુશાંત સાથે સંબંધ તોડ્યો હોવાની અટકળો થઈ રહી છે. ચેટથી એ પણ સ્પષ્ટ થાય છે કે રિયાએ પોલીસ તપાસમાં બધુ સાચું કહ્યું નથી. એવી પણ ચર્ચા છે કે કદાચ રિયા પોલીસ તપાસમાં ખોટું બોલી રહી છે.
રિયા ચક્રવર્તીના ફિલ્મી કરિયરનું 'THE END', નિર્દેશકોએ લેવાની ચોખ્ખી ના પાડી દીધી...
વાત જાણે એમ છે કે અત્યાર સુધી રિયા કહેતી હતી કે સુશાંત ડિપ્રેશનમાં હતો. સુશાંતના કારણે તેને પણ તણાવ થવા લાગ્યો હતો. તે સુશાંતને છોડવા માંગતી નહતી. સુશાંતના કહેવા પર તેણે આમ કર્યું. આ સાથે જ રિયાએ સુશાંતની બહેન ઉપર પણ એલફેલ આરોપ લગાવ્યાં હતાં. પરંતુ હવે રિયાની અને મહેશ ભટ્ટને ચેટ કઈક અલગ જ કહાણી રજુ કરી રહી છે જે રિયા માટે મુશ્કેલી બની શકે છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે