Home> Entertainment
Advertisement
Prev
Next

Ajay Devgn: શૈતાન ફિલ્મમાં કામ કરનાર અજય દેવગન કરી ચુક્યો છે બ્લેક મેજીકનો અનુભવ, જાણો તમે પણ ઘટના વિશે

Ajay Devgn: અજય દેવગને જણાવ્યું હતું કે તે ઘણા સમયથી આવા પ્રોજેક્ટ પર કામ કરવા માંગતો હતો. આ ફિલ્મ પહેલા તેણે વર્ષ 2003માં ભૂત ફિલ્મ પણ બનાવી છે. તેને હોરર જોનર ખૂબ જ પસંદ છે. સાથે જ તેણે પોતાની થયેલા અનુભવ પણ શેર કર્યા હતા. 

Ajay Devgn: શૈતાન ફિલ્મમાં કામ કરનાર અજય દેવગન કરી ચુક્યો છે બ્લેક મેજીકનો અનુભવ, જાણો તમે પણ ઘટના વિશે

Ajay Devgn: અજય દેવગનની આવનારી ફિલ્મ શૈતાન વશીકરણ અને બ્લેક મેજીક ના વિષય પર આધારિત છે. આ ફિલ્મમાં તેની સાથે આર માધવન પણ જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે અને લોકોને આ ટ્રેલર પસંદ પણ આવી રહ્યું છે. તેવામાં એક મુલાકાત દરમિયાન અજય દેવગનને પણ બ્લેક મેજીક અને સુપરનેચરલ શક્તિઓ વિશે વાતચીત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેણે પણ સ્વીકાર્યું કે તે આ વાતોમાં વિશ્વાસ રાખે છે અને તે પોતે પણ અનુભવ કરી ચૂક્યો છે.

આ પણ વાંચો: Anant Ambani-Radhika ના પ્રી વેડિંગ ફંકશનમાં શાહરુખ, આલિયા, રણબીર કરશે પરફોર્મ

શેતાન ફિલ્મના ટ્રેલર લોન્ચ સમયે અજય દેવગનને આ વાત કરી હતી. અજય દેવગને જણાવ્યું હતું કે તે ઘણા સમયથી આવા પ્રોજેક્ટ પર કામ કરવા માંગતો હતો. આ ફિલ્મ પહેલા તેણે વર્ષ 2003માં ભૂત ફિલ્મ પણ બનાવી છે. તેને હોરર જોનર ખૂબ જ પસંદ છે. સાથે જ તેણે પોતાની થયેલા અનુભવ પણ શેર કર્યા હતા. 

અજય દેવગને કહ્યું હતું કે તેણે સુપર નેચરલ શક્તિઓને ફેસ કરી છે. ઘણી વખત જ્યારે શૂટિંગ માટે બહાર જવાનું થાય છે ત્યારે આવી ઘટનાઓનો અનુભવ થાય છે. ખાસ કરીને કરિયરની શરૂઆતના દસેક વર્ષ તેણે આવું ઘણું બધું અનુભવ કર્યું છે. 

આ પણ વાંચો: OTT પ્લેટફોર્મની 5 સૌથી ખતરનાક હોરર વેબ સીરીઝ, જોયા પછી ઘરમાં એકલા રહેવામાં લાગે બીક

અજય દેવગનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે બ્લેક મેજીક માં વિશ્વાસ કરે છે ? તો તેના જવાબમાં તેને કહ્યું કે તે અનુભવ પણ કરી ચૂક્યો છે. તેણે સ્પષ્ટતા કરી કે આ વાત કેટલી સાચી છે કે ખોટી છે તે કહી શકતો નથી પરંતુ આપણે સૌ નજર લાગી જેવી વાત પર વિશ્વાસ કરીએ છીએ. જ્યારે પણ ઘરેથી બહાર નીકળીએ કે ઘરમાં કોઈ બીમાર પડે તો ખરાબ નજરની વાત સૌથી પહેલા મનમાં આવે છે. 

આ પણ વાંચો: ફિલ્મ શૈતાનનું ટ્રેલર રિલીઝ, જાનકી બોડીવાલા અને આર માધવનને જોઈ તમને પણ બીક લાગશે

જણાવી દઈએ કે શૈતાન ફિલ્મનું ડાયરેક્શન વિકાસ બહેલે કર્યું છે. આ ફિલ્મ 8 માર્ચે સિનેમા ઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અજય દેવગન અને આર માધવન જોવા મળશે તેની સાથે જ અભિનેત્રી જ્યોતિકા અને જાનકી બોડીવાલા પણ મુખ્ય ભૂમિકાઓમાં હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More