Home> Entertainment
Advertisement
Prev
Next

શું રિયા ચક્રવર્તી માટે ન્યાય માંગતું સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેક? જાણો શું છે સત્ય

ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટના માધ્યમથી છેલ્લા કેટલાક દિવસથી સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પરિવારને નિશાન બનાવતી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ એકાઉન્ટ સ્વ. અભિનેતાની પ્રેમીકા રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના માટે ન્યાય માંગવા માટે લડવાનો દાવો કરતું હતું. જો કે, અભિનેત્રીના વકીલે રિયાના આ એકાઉન્ટથી સંબંધિત હોવાની વાતને નકારી દીધી છે.

શું રિયા ચક્રવર્તી માટે ન્યાય માંગતું સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેક? જાણો શું છે સત્ય

નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટના માધ્યમથી છેલ્લા કેટલાક દિવસથી સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પરિવારને નિશાન બનાવતી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ એકાઉન્ટ સ્વ. અભિનેતાની પ્રેમીકા રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના માટે ન્યાય માંગવા માટે લડવાનો દાવો કરતું હતું. જો કે, અભિનેત્રીના વકીલે રિયાના આ એકાઉન્ટથી સંબંધિત હોવાની વાતને નકારી દીધી છે.

આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું સંચાલન સુહૃતા સેનગુપ્તા (78)નામની સાથે કરવામાં આવી રહ્યો છે, જેની દરેક પોસ્ટમાં #JusticeForRhea ટેગ કરવામાં આવે છે. પ્રોફાઇલના વર્ણનમાં લખ્યું છે, Suhrita Sengupta, Writer Feminist, Proud Bengali, #stopharassment.

આ પણ વાંચો:- સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકાનો ચોંકાવનારો VIDEO આવ્યો સામે, જાણો શું છે મામલો

એકાઉન્ટમાં સુશાંતના પિતા કે.કે સિંહ, તેની બહેન શ્વેતા સિંહ કીર્તિ અને મીતૂ સિંહની તસવીરો પોસ્ટ કરવામાં આવી છે અને તેમને ગાળો આપી તેમના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે અને ખુબજ ગંદી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જ્યારે આઇએએનએસે રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેનો સંપર્ક કર્યો, તો તેમણે જણાવ્યું કે, તેમના ક્લાઈન્ટનો તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે કોઇ સંબંધ નથી. તેમણે આ પણ દાવો કર્યો કે એકાઉન્ટ ફેક છે.

માનશિંદેએ આઇએએનએસના આપેલા નિવેદનમાં કહ્યું કે, મોટાભાગે એકાઉન્ટ નકલી છે, તે મારા ક્લાઇન્ટની જાણકારીમાં પણ નથી.

આ પણ વાંચો:- Sanjay Duttને લઇને હવે સામે આવી આ વાત, તો શું નથી સ્ટેજ 3નું કેન્સર?

સુહૃતા સેનગુપ્તા દ્વારા કરવામાં આવેલી પોસ્ટનું ઉદાહરણ:

એક પોસ્ટમાં લખ્યું છે, જો કે, આ સાબિત થઇ ગયું છે કે, સુશાંત એક પાગલ માણસ હતો, જે ડીપ ડિપ્રેસનમાંથી પસાર થઇ રહ્યો હતો અને હોઇ શકે છે કે, તેના દિશા સાલિયન સાથે ગુપ્ત સંબંધ પણ હોય. સુશાંતે તેની પજવણી કરી હતી અને તેને ક્યાંક ગર્ભવતી બનાવી હતી અને દિશાની પાસે આપઘાત કર્યા સિવાય અન્ય કોઇ રસ્તો ન રહ્યો હોય? જે પણ હોય, તેણે પોતાની માનસિક બીમારીના કારણે પોતાને લટકાવી દીધો. દુનિયાથી એક ગંદગી ખતમ થઇ.
#justiceforrhea #rheaisinnocent #stopwitchhunting #rheachakraborty #rhea #sushantsinghrajput #sushant #disha #sadak2 #aaliabhatt #maheshbhatt #poojabhatt

આ પણ વાંચો:- સુશાંતના મોતના સમાચારથી દેશ આઘાતમાં સરી પડ્યો, ત્યારે 14 જૂને રિયા આ વ્યક્તિ સાથે વાતોમાં હતી 'વ્યસ્ત'

ત્યારે અન્ય એક પોસ્ટમાં સુશાંતની બહેન શ્વેતાની તસવીર રજૂ કરતા લખ્યું હતું, અત્યારે જ્યારે આ સીબીઆઇ તપાસ માંગ કરી રહી છે તો, કેટલી માસૂમ જોવા મળી રહી છે. જ્યારે તેના ભાઇ બાઇપોલર ડિસઓર્ડરથી લડી રહ્યો હતો અને ડિપ્રેસનમાં હતો, ત્યારે તે ક્યાં હતી? તે સમયે માત્ર રિયા તેને ડોક્ટરની પાસે લઇ જતી હતી. આ પ્રકારની નિર્લજ્જ અને પડી ગયેલી મહિલાઓ શોપિંગ અને મજા કરવામાં વ્યસ્ત હતી. અહીં નાટક ન કરો, અમે જોઈ શકીએ કે શું થયું છે.

અન્ય એક પોસ્ટમાં લખ્યું હતું, પોતાન માનસિક રૂપથી બીમાર ભાઇની દેખરેખ કરવા માટે રિયાનો આભાર વ્યક્ત કરો. પટનાના ગરીબ સડક છાપ બેશર્મ લોકો ચાર પૈસા શું આવી ગયા, તમારી ઓકાત ભૂલી ગયા.

આ પણ વાંચો:- 'સ્વતંત્રતા દિવસ' પર &TVના કલાકારોએ જણાવ્યો અસલી સ્વતંત્રતાનો અર્થ

આ પ્રકારની અપમાનજનક પોસ્ટ સુશાંતના પિતા વિશે પણ છે.

ત્યારે રિયાને લઇને પોસ્ટમાં લખ્યું છે, ભારતની દિકરી, જેણે સાચા મૂલ્યોનું પ્રતિનિધિત્વ કર્યું અને ભારતીય પરંપરા, સંસ્કારનુ ઉદાહરણ આપ્યું, રિયા ચક્રવર્તીનું પાલન-પોષણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં થયો છે અને માતા રાની તે નિર્દોષ બાળકીની સુરક્ષા કરે. જય મા કાલી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More