Home> Entertainment
Advertisement
Prev
Next

બાથરૂમની દિવાલોમાંથી મળી હતી નોટો, આ જાણિતી અભિનેત્રીએ કોર્ટમાં કહ્યું હતું- વેશ્યાવૃત્તિથી કમાયા હતા પૈસા

Mala Sinha Controversy: માલાનું ફિલ્મી કરિયર સારું રહ્યું પરંતુ તેના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તે વિવાદોમાં ફસાઈ ગઈ. જોકે માલા વિશે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું કહેવામાં આવતું હતું કે તે ખૂબ જ કંજૂસ પ્રકારની મહિલા હતી.

બાથરૂમની દિવાલોમાંથી મળી હતી નોટો, આ જાણિતી અભિનેત્રીએ કોર્ટમાં કહ્યું હતું- વેશ્યાવૃત્તિથી કમાયા હતા પૈસા

Mala sinha Life Facts: પ્યાસા, ધૂલ કા ફૂલ, બહુરાની, દો કલિયાં, ફિર કબ મિલેગી સહિતની ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળેલી માલા સિન્હા (Mala Sinha) ને તેમના યુગની ટોચની અભિનેત્રીઓમાં ગણવામાં આવતી હતી. માલા સિન્હા પ્રથમ વખત વૈષ્ણોદેવી ફિલ્મમાં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. ત્યારબાદ, જ્યારે તે મોટી થઈ, તો ગીતા બાલીની ભલામણ પર, તેને ફિલ્મ 'રંગીન રાતે'માં પહેલીવાર હીરોઈન તરીકે કામ કરવાની તક મળી. આ ફિલ્મે બહુ કમાલ ના કરી પરંતુ આ પછી માલા સિન્હાએ બેક ટુ બેક હિટ ફિલ્મોમાં કામ કર્યું અને હિટ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ. માલાનું ફિલ્મી કરિયર સારું રહ્યું પરંતુ તેના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તે વિવાદોમાં ફસાઈ ગઈ હતી.

આ પણ વાંચો: ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલના કરી રહ્યા છે ગોચર, આ 5 રાશિઓના ખૂલી જશે સુતેલું ભાગ્ય
આ પણ વાંચો: શું હવે ખરેખર કમોસમી વરસાદે વિદાય લીધી? જાણી લો આગામી 10 દિવસનું અપડેટ
આ પણ વાંચો: 
 દરરોજ સ્કિન પર સાબુ લગાવતા હોવ તો થઇ જજો સાવધાન, નહીંતર લેવાના દેવા થઇ જશે

જોકે માલા વિશે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું કહેવામાં આવતું હતું કે તે ખૂબ જ કંજૂસ પ્રકારની મહિલા હતી. ઘરનું બધું કામ પણ તે જાતે જ કરતી હતી કારણ કે તે પોતાની કમાણી નોકર પર ખર્ચવા માંગતી ન હતી. એકવાર આવકવેરા અધિકારીઓએ તેના ઘરે દરોડા પાડ્યા અને જે બન્યું તે સાંભળીને તમે પણ તમારા કાન પર વિશ્વાસ કરી શકશો નહીં. વાસ્તવમાં, આ દરોડામાં આવકવેરા વિભાગે 12 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.
 
આ પણ વાંચો: રોકાણ પર જોઈએ શાનદાર રિટર્ન અને ટેક્સમાં છૂટ તો આ સરકારી યોજનાઓ છે બચત માટે શ્રેષ્ઠ
આ પણ વાંચો: PHOTOS: બિલ ગેટ્સથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી, જો આ સાત અમીર ગરીબ હોત તો આવા દેખાતા!
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન

રસપ્રદ વાત એ હતી કે આ પૈસા માલા સિંહાના બાથરૂમની દિવાલોમાંથી મળી આવ્યા હતા અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો કારણ કે માલા આ રકમનો હિસાબ આપી શકી ન હતી. માલા સિન્હાના પિતા પણ તેને બચાવવા માટે આગળ આવ્યા અને પછી તેના વકીલે એક રસ્તો સૂચવ્યો અને સલાહ આપી કે માલા ત્યારે જ બચાવી શકશે જ્યારે તે કોર્ટમાં કહેશે કે તેણે આ પૈસા વેશ્યાવૃત્તિથી કમાયા છે. માલા સિન્હાએ કોર્ટમાં જણાવ્યું કે તેણે આ રકમ વેશ્યાવૃત્તિમાંથી કમાવી છે. આ નિવેદન બાદ એક્ટ્રેસના ઈન્ડસ્ટ્રીમાં ઘણો વિરોધ થયો હતો.

આ પણ વાંચો: DA ને લઇને આવી ગઇ ખુશખબરી, આ દિવસે મળશે 50 ટકા મોંઘવારી ભથ્થું!
આ પણ વાંચો:  Mobile In Toilet: શું તમે પણ ટોયલેટમાં મોબાઇલ યૂઝ કરો છો? આ બિમારીઓ કરી શકે છે હુમલો
આ પણ વાંચો:  સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને મુશ્કેલીઓમાંથી મળશે રાહત, વ્યાપારિક મંદીની શક્યતા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More