મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરાએ અરબાઝ ખાન સાથે અલગ થયાના બે વર્ષ પછી મોટું પગલું ઉઠાવીને 'ખાન' અટક લગાવવાનું બંધ કરી દીધું છે. આ અપડેટ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. અરબાઝથી અલગ થયા પછી ઇન્સ્ટાગ્રામ પર મલાઇકાનું નામ મલાઇકા અરોરા ખાન જ હતું પણ હવે તેણે ખાન અટક હટાવી લીધી છે. મલાઇકા અરોરા 2016માં અરબાઝથી અલગ થઈ હતી અને 2017માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા
આયુષ્યમાનની ફિલ્મ જોવી ગમતી હોય તો તમને ગમશે આ ખાસ સમાચાર
અર્જુન કપૂર અને મલાઇકા અરોરા જ્યારથી લેકમે ફેશન વિકમાં એકસાથે જોવા મળ્યા છે ત્યારથી તેમની રિલેશનશીપ ચર્ચાસ્પદ બની છે. હાલમાં તો એવા સમાચાર આવ્યા હતા કે આ પ્રેમી જોડી લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જોકે હવે ખબર પડી છે કે આ વાત ખોટી છે. હાલમાં ડીએનએમાં આવેલા સમાચાર પ્રમાણે હાલમાં અર્જુન અને મલાઇકા એકબીજા સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે પણ બંનેનું હાલમાં લગ્ન કરવાનું કોઈ પ્લાનિંગ નથી.
આ મામલે અર્જુનની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી છે કે અર્જુન પોતાની બહેન અંશુલાના લગ્ન પછી જ પોતાના લગ્ન વશે વિચારશે. મલાઇકા અને અર્જુન હાલમાં પોતાનો સમય એન્જોય કરી રહ્યા છે. હાલમાં અર્જુન પાસે ઘણી ફિલ્મોની તેમજ મલાઇકા પાસે ટીવી શોની ઓફર છે. આ સંજોગોમાં હજી તેઓ એકબીજાને ઓળખવા માગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે