Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંત સિંહ રાજપૂતે આ શું કર્યું જેથી અટકી ગયું ફિલ્મનું શૂટિંગ !

'કિઝી ઔર મન્ની'ના શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત ફિલ્મની મુખ્ય અભિનેત્રી સંજના સાંઘી સાથે વધુ ફ્રેંડલી હોવાનો પ્રયત્ન કરતાં જોવા મળ્યા.

સુશાંત સિંહ રાજપૂતે આ શું કર્યું જેથી અટકી ગયું ફિલ્મનું શૂટિંગ !

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું વર્તન ખૂબ મિત્રતાપૂર્ણ છે. ઘણીવાર તેમના આ મિત્રતાપૂર્ણ વહેવારને લોકો સમજી શકતા નથી. આવું જ થોડા મહિના પહેલાં જમશેદપુરમાં ચાલી રહેલી નવી ફિલ્મ 'કિઝી ઔર મન્ની'ના શૂટિંગ દરમિયાન સામે આવ્યું. 'કિઝી ઔર મન્ની' વર્ષ 2014ની હિટ હોલીવુડ ફિલ્મ 'ધ ફાલ્ટ ઇન ઓવર સ્ટાર'ની કહાની પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન નવા સ્ટાર્સને કાસ્ટ કરવામાં માહિર મુકેશ છાબરા કરી રહ્યા છે. 

અભિનેત્રીએ કરી ફરિયાદ
સૂત્રોના જણાવ્યા અનુસાર જમશેદપુરમાં 'કિઝી ઔર મન્ની'ના શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત ફિલ્મની મુખ્ય અભિનેત્રી સંજના સાંઘી સાથે વધુ ફ્રેંડલી હોવાનો પ્રયત્ન કરતાં જોવા મળ્યા. એવામાં સંજનાને ખૂબ અસહજ થયું તો તેણે આ વિશે પોતાના પરિજનોને જાણકારી આપી. પરિજનોએ તેમને કહ્યું કે તે ત્યારે જ સેટ પર જાય જ્યારે તેને કોઇ અસુવિધા ન અનુભવાય. આ વિવાદના લીધે ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે અટકી ગયું.

મળી નથી કોઇ પ્રતિક્રિયા
આ વિશે અમારી સહયોગી વેબસાઇટ ડીએનએ દ્વારા ફિલ્મના નિર્દેશક મુકેશને મેસેજ કરી પૂછ્યું કે શું કોઇ ટેક્નિકલ કારણના લીધે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે. પરંતુ તેમણે આ મેસેજનો કોઇ જવાબ આપ્યો નહી. આ વિશે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ મેસેજ મોકલવામાં આવ્યો અને તેમને ફોન કરવામાં આવ્યો. પરંતુ તેમણે પણ કોઇ પ્રતિક્રિયા ન આપી. આ વિશે આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા સ્ટૂડિયોને જ્યારે મેલ કરી પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે અમે અમારા કલાકારોની સુરક્ષાને લઇને ખૂબ સતર્ક છીએ. સ્ટૂડિયોએ આવી કોઇ ઘટનાની મનાઇ કરતાં કહ્યું કે અમારા સેટ તથા શૂટિંગમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફિલ્મની ફાઇનલ સિડ્યૂલ કરી શૂટિંગ ઝડપથી પુરી કરવામાં આવશે. અમે આ ફિલ્મને 2019માં રિલીઝ કરવા માંગીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More