Home> Entertainment
Advertisement
Prev
Next

Kartik Aaryan ની સાથે આવી કંગના રનૌત, સુશાંતને યાદ કરી કરણ જોહર પર કર્યો હુમલો

કાર્તિક આર્યન (Kartik Aaryan) નું નામ સોશિયલ મીડિયા પર છવાયુ છે કારણ કે કરણ જોહર તેને ફિલ્મમાંથી કાઢી મુક્યો છે. આ મામલામાં હવે કંગના રનૌતે કાર્તિકનો સાથ આપ્યો છે. 

Kartik Aaryan ની સાથે આવી કંગના રનૌત, સુશાંતને યાદ કરી કરણ જોહર પર કર્યો હુમલો

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન (Katrik Aaryan) આ દિવસોમાં ઘણા ડાયરેક્ટરોની પ્રથમ પસંદ બનેલો છે. તેના ખાતામાં એક બાદ એક ફિલ્મો આવી રહી છે. પરંતુ કરણ જોહર (Karan Johar) એ પોતાની ફિલ્મો માટે કાર્તિક આર્યનને દૂર કરી દીધો છે. એટલું જ નહીં દોસ્તાના 2માંથી કાર્તિક આર્યનને બહારનો રસ્તો દેખાડી દીધો છે. પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે આ વિવાદમાં અભિનેત્રી કંગના રનૌતે કાર્તિક આર્યનનો સાથ આપતા કરણ જોહરને ફટકાર લગાવી છે. 

કાર્તિકની સાથે કામ નહીં કરે કરણ
કહેવામાં આવી રહ્યું છે કે કરણ જોહર  (Karan Johar) ના ધર્મા પ્રોડક્શન (Dharma Production) એ કાર્તિકને માત્ર દોસ્તાના-2 માંથી નહીં પરંતુ હંમેશા અલગ કરી દીધો છે. હવે કરણ અને કાર્તિક કોઈ ફિલ્મોમાં સાથે કામ કરશે નહીં. કાર્તિકે આ નિર્ણય તેના વલણને કારણે લીધો છે. 

કંગનાએ કર્યુ ટ્વીટ
સોશિયલ મીડિયા પર બેબાક અંદાજમાં પોતાની વાત રાખવા માટે જાણીતતી અભિનેત્રી કંગના રનૌત બોલીવુડમાં ભાઈ-ભત્રીજા વાદ પર સતત પ્રહાર કરી રહી છે. હવે જ્યારે શુક્રવારે કાર્તિક આર્યનને કરણ જોહરે ફિલ્મ દોસ્તાના 2માંથી કાઢી નાખ્યો તો કંગનાએ ફરી કરણ પર હુમલો કર્યો નછે. તેણે આ મામલાને લઈને સુશાંત સિંહ રાજપૂતને પણ યાદ કર્યો છે. 

કાર્તિકના પક્ષમાં કંગના
શુક્રવારે કાર્તિક આર્યનને અચાનક ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'દોસ્તાના 2'માંથી બહાર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કંપનીએ તેને લઈને પોતાની સ્પષ્ટતા કરી છે. હવે આ મામલામાં કાર્તિકના પક્ષમાં કંગના રનૌતે કમાન સંભાળી છે. અભિનેત્રીએ કરણ જોહર પર નિશાન સાધ્યુ છે. 

કરણને લગાવી ફટકાર
આ મામલા પર કંગનાએ સતત ત્રણ ટ્વીટ કર્યા છે. પહેલા ટ્વીટમાં અભિનેત્રીએ લખ્યું, કાર્તિક આર્યન પોતાના દમ પર અહીં સુધી પહોંચ્યો છે અને તે પોતાના દમ પર આમ કરતો રહેશે. માત્ર પાપાજો અને તેના નેપો ગેંગ ક્લબને વિનંતી છે કે કૃપા કરી તેને એકલો છોડી દો. સુશાંત સિંહ રાજપૂતની જેમ પાછળ ન પડો કે તે ફાંસી પર લટકવા મજબૂર થાય. 

કંગનાનું બીજુ ટ્વીટ
કંગનાએ પોતાના બીજા ટ્વીટમાં કહ્યું, કાર્તિક આર્યને આવા ચિલ્લરોથી ડરવાની જરૂર નથી. ખરાબ આર્ટિકલ લખવા અને જાહેરાત કરી માત્ર તમારૂ મનોબળ નિચુ કરવા માટે તમારા વલણની જવાબદાર ઠેરવી ગરિમાપૂર્ણ મૌન બનાવી રાખવા ઈચ્છે છે. તેણે સુશાંત સિંહ રાજપૂતની ડ્રગ્સની લત અને ખરાબ વ્યવહારની કહાની આવી રીતે ફેલાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More