Home> Entertainment
Advertisement
Prev
Next

'સરફરોશ'ની બનશે સિક્વલ, આમિરને બદલે 'આ' બનશે એસીપી રાઠોડ

મૂળ ફિલ્મમાં આમિર ખાને એસીપી રાઠોડનો રોલ ભજવ્યો હતો

'સરફરોશ'ની બનશે સિક્વલ, આમિરને બદલે 'આ' બનશે એસીપી રાઠોડ

મુંબઈ : હિન્દી ફિલ્મોના ચાહકોને ખુશ કરી દે તેવા સમાચાર આવ્યા છે. 1999ની સુપરહિટ ફિલ્મ ‘સરફરોશ’ ની સિક્વલ આવતે વર્ષે બનવાની શરૂઆત થઇ જશે. આ ફિલ્મમાં આમિર ખાને ACP રાઠોડની યાદગાર ભૂમિકા ભજવી હતી. ‘સરફરોશ’ માં પાકિસ્તાન કેવીરીતે કલાકારો દ્વારા તેમજ ભારતમાં તેમના સ્લીપર સેલની મદદથી હથિયારોની હેરફેર કરે છે અને આપણા દેશમાં કેવીરીતે આતંકવાદનો ફેલાવો કરે છે તેને એકદમ ડીટેઇલમાં બતાવવામાં આવ્યું હતું.

આ ફિલ્મની સિક્વલ વિશે ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કરીને માહિતી આપી છે. જોકે ખરાબ સમાચાર એ છે કે આ સિક્વલમાં આમિર નહીં પણ જોન અબ્રાહમ ACP રાઠોડનો રોલ કરવાનો છે. 

સરફરોશમાં આમિર ખાન સાથે સિલ્વર સ્ક્રિન પર સોનાલી બેન્દ્રેએ લીડ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેના સિવાય નસિરુદ્દીન શાહ અને મુકેશ રિશી પણ મહત્વના રોલમાં હતા. હાલમાં આ સિક્વલ વિશે વધારે માહિતી નથી મળી પણ ધીરેધીરે આ વિશે વધારે વિગતો જાહેર થઈ રહી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More