નવી દિલ્દી: બોલીવુડ એક્ટર રાજીવ કપૂરના (Rajiv Kapoor) નિધનથી બોલીવૂડ જગતમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. રાજીવ, રાજ કપૂરના સૌથી નાના પુત્ર અને ઋષિ કપૂર (Rishi Kapoor) અને રણધીર કપૂરના (Randhir Kapoor) ભાઈ હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમનું મોત હાર્ટ એટેક આવવાથી થયું છે. તેમના અંતિમ દર્શન માટે તમામ સેલિબ્રિટીઝ ઘર પર પહોંચ્યા. મંગળવાર મોડી સાંજે રાજીવની અંતિમ યાત્રા નીકળી હતી.
રણબીર કપૂરે (Ranbir Kapoor) તેના કાકાની અર્થીને કાંધ આપી હતી. રાજીવની અંતિમ યાત્રામાં ઘણા લોકો ભેગા થયા હતા. રાજીવ કપૂરના (Rajiv Kapoor) ભાઈ રણધીર કપૂર (Randhir Kapoor) પણ આ દુ:ખના સમયમાં પોતાને સંભાળ્યા. તે ભાઈની અંતિમ યાત્રામાં નર્સની સાથે ચાલતા જોવા મળ્યા હતા.
રાજીવ કપૂરના નિધન બાદ તમામ સેલિબ્રિટિઝ અને કપૂર પરિવારના તમામ સભ્યો તેમના ઘરે પહોંચ્યા હતા. કરિશ્મા કપૂર, રણબીર કપૂર, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, તારા સુતરિયા સહિત અન્ય સ્ટાર્સ રાજીવ કપૂરના ઘરે જોવા મળ્યા હતા.
આ પણ વાંચો:- પૂર્વ અભિનેતા રાજીવ કપૂરનું નિધન, 'રામ તેરી ગંગા મેલી' ફિલ્મથી મળી હતી ઓળખ
ઉલ્લેથની છે કે, બોલીવૂડ ફિલ્મ નિર્મતા રાજીવ કપૂરનું (Rajiv Kapoor) આજે 58 વર્ષની ઉંમરે નિધન થયું છે. રાજીવ કપૂરને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ મુશ્કેલીના સમયમાં રણધીર કપૂર (Randhir Kapoor) તેમના નાના ભાઈની સાથે હતા. તેમણે હોસ્પિટલથી પાર્થિવ દેહની સાથે બહાર નિકળતા જોવા મળ્યા. રણધીર કપૂર હતાશ-પરેશાન જોવા મળ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે