Home> Entertainment
Advertisement
Prev
Next

'સત્યમેવ જયતે 2'નું પોસ્ટર થયું લોન્ચ, જોવા મળ્યો જોન અબ્રાહમનો જોરદાર LOOK

બોલીવુડના દિગ્ગજ અભિનેતા જોન અબ્રાહમ (John abraham) ની હિટ ફિલ્મ 'સત્યમેવ જયતે' (satyameva jayate)' ની સિક્વલ આગામી વર્ષે ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. તાજેતરમાં જ જોન અબ્રાહમે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

'સત્યમેવ જયતે 2'નું પોસ્ટર થયું લોન્ચ, જોવા મળ્યો જોન અબ્રાહમનો જોરદાર LOOK

નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા જોન અબ્રાહમ (John abraham) ની હિટ ફિલ્મ 'સત્યમેવ જયતે' (satyameva jayate)' ની સિક્વલ આગામી વર્ષે ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. તાજેતરમાં જ જોન અબ્રાહમે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. હવે આ ફિલ્મનું પોસ્ટર પણ સામે આવી ગયું છે. આ પોસ્ટરને ફિલ્મ સમીક્ષક તરૂણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે, જેમાં જોન અબ્રાહમનો લુક જોરદાર લાગી રહ્યો છે. ફિલ્મમાં દિવ્યા ખોસલા કુમાર પણ છે, જે નિર્માતા ભૂષણ કુમારની પત્ની છે.

આ એક્શન-થ્રિલર ફિલ્મમાં જોન અબ્રાહમની સાથે કામ કરવા વિશે જણાવ્યું કે દિવ્યાએ તાજેતરમાં ન્યૂઝ એજન્સી આઇએએનએસને કહ્યું હતું કે ''હું જો અબ્રાહમ અને (નિર્દેશક) મિલાપ ઝવેરી પ્રત્યે ખરેખર આભારી છું, તેમણે પોતાની ફિલ્મમાં ફીમેલ લીડ તરીકે મને કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો. મને લાગે છે કે આ મારા માટે ખૂબ મોટી તક છે. પહેલાં મે નિર્દેશન કર્યું છે, પરંતુ અત્યારે કેટલાક સમયથી એક્ટિંગમાં પરત ફરવાનું વિચારી રહી હતી. 

તેમણે આગળ કહ્યું હતું કે ''હું જોન અબ્રાહમની આભારી છું, કારણ કે પરણિત અભિનેત્રીઓ સાથે કામ કરતી વખતે કેટલાક અભિનેતાઓના મગજમાં ઘણા પ્રકારની રોકટોક રહે છે, પરંતુ પોતાના સહ કલાકારો પ્રત્યે જોન અબ્રાહમનો દ્વષ્ટિકોણ ખૂબ ઓપન છે. 'સત્યમેવ જયતે' અને 'બાટલા હાઉસ' જેવી પોતાની તાજેતરની ફિલ્મોમાં જોન અબ્રાહમે સારું કામ કર્યું છે, એટલા માટે મને તેમની સાથે કામ કરવાની રાહ હતી.'' મિલાપ ઝવેરી આ ફિલ્મને નિર્દેશિત કરશે. તેનો પહેલો ભાગ પણ તેમણે જ બનાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More