Home> Entertainment
Advertisement
Prev
Next

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં થઈ રહી છે દયાબેનની વાપસી, જાણો ક્યારે જોવા મળશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે જોતા હશે તેઓ દયાબેન એટલે કે દિશા વાકાણીને ભૂલી ન શકે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં થઈ રહી છે દયાબેનની વાપસી, જાણો ક્યારે જોવા મળશે

નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જે જોતા હશે તેઓ દયાબેન એટલે કે દિશા વાકાણીને ભૂલી ન શકે. છેલ્લા કેટલાક સમયથી દિશા વાકાણી આ શોમાંથી બહાર છે પરંતુ હવે એવા સમાચાર મળી રહ્યાં છે કે દિશા આ શોમાં પાછી ફરી શકે છે. રિપોર્ટ્સ મુજબ દિશા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ બાદ શોમાં વાપસી કરી શકે છે. અત્રે જણાવવાનું કે દિશા અને તેની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. દિશા વાકાણી નવેમ્બર 2017માં પહેલા બાળકની માતા બની હતી. ત્યારબાદથી તે મેટરનિટી લીવ પર હતી. 

શોમાં દિશા વાકાણીની વાપસીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ખુબ ચર્ચા છે. અગાઉ એવા પણ રિપોર્ટ્સ હતાં કે હવે શોના મેકર્સે દયાબેનની ભૂમિકા માટે નવા ચહેરાની શોધ શરૂ કરી દીધી છે. પરંતુ હવે તાજા અહેવાલથી દિશાના ચાહકો ખુશખુશાલ થઈ જશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Bharat mata ki jay #wc2k19🏆

A post shared by Disha Vakani (@disha.vakani) on

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી એવા રિપોર્ટ્સ હતાં કે દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ટાટા બાયબાય કરી દીધુ છે. દિશાના પરિવારજનોએ તેના આ નિર્ણયને પર્સનલ ગણાવતા કોઈ પણ નિવેદન આપવાની ના પાડી દીધી હતી. હાલ જો કે હજુ સુધી અભિનેત્રી કે મેકર્સે આ અંગે કોઈ જ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી નથી. દિશા વાકાણીએ નવેમ્બર 2015માં બિઝનેસમેન મયૂર પંડ્યા સાથે લગ્ન કર્યા હતાં. દિશા અને મયુરની એક પુત્રી પણ છે જેનું નામ સ્તુતિ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More