Home> Entertainment
Advertisement
Prev
Next

મંદિરમાં ફેરાફરી, ચોરી છૂપે લગ્ન કરી, શૂટિંગના સેટ પર ભાગી હતી આ હીરોઈન! હવે બેઠાં-બેઠાં હસવાના લે છે લાખો રૂપિયા!

મંદિરમાં ફેરાફરી, ચોરી છૂપે લગ્ન કરી, શૂટિંગના સેટ પર ભાગી હતી આ હીરોઈન! હવે બેઠાં-બેઠાં હસવાના લે છે લાખો રૂપિયા!

નવી દિલ્હીઃ એક શૉમાં ખડખડાટ હસતી આ એક્ટ્રેસે પણ કર્યા છે જોરદાર કામ, રાતોરાત  મંદિરમાં લગ્ન કરી શૂટિંગ માટે પહોંચી ગઈ હતી. અમૂક અભિનેતા-અભિનેત્રીઓનું જીવન ફિલ્મ જેવું જ હોય છે. અર્ચના પુરણ સિંહનું નામ પણ આ પ્રકારનું જીવન જીવવાવાળાના લિસ્ટમાં  છે. અર્ચના પુરણ સિંહની પ્રેમ કાહાની એવી છે કે તેમાના જીવન પર સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ બની શકે. અર્ચના પુરણ સિંહ ઘણા સમયથી કપિલ શર્મા શોમાં દેખાય છે. આજે અમે અર્ચના પુરણના અંગત જીવન સાથે જોડાયેલો એક કિસ્સો જણાવીશું. આ કિસ્સો લગભગ 30 વર્ષ જૂનો છે. એક સમય એવો હતો જ્યારે અર્ચના પુરન સિંહ બી અને સી ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કરવા તૈયાર થઈ જતી હતી. એમાં તે સમયે સન્ની દેઓલ સાથેના તેના લીપલોક કિસિંગ સીને સનસની મચાવી દીધી હતી. આજે એ જ અર્ચના પુરન સિંહ કપિલ શર્માના ફેમિલી શોમાં હા..હા..હા.. કરીને હસવાના સારા એવા રૂપિયા કમાઈ લે છે.

અડધી રાત્રે અર્ચના મંદિરે પહોંચી હતી-
અર્ચના પુરણ સિંહ અને પરમીત સેઠી એકબીજાને પસંદ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા પરંતુ પરમીતના પરિવારને આ સંબંધ સામે વાંધો હતો. પરમીતે નક્કી કર્યું હતું કે તે અર્ચના સાથે લગ્ન કરીને સેટલ થશે આથી એક દિવસ રાત્રે પરમીતે લગ્નની જીદ કરી અને તે મંદિરે પહોંચ્યો, તે સમયે રાતના 10-11 વાગ્યા હશે અને પૂજારી પણ ઊંઘી રહ્યા હતા. પંડિતે કહ્યિં સવારે આવજો.

બીજા દિવસે લગ્ન કર્યા-
પહેલી રાત્રે લગ્ન કરવા ગયેલા જોડાને નિષ્ફળતા મળી હતી. પુજારીએ સવારે આવવાનું જણાવ્યું હતું. બીજા દિવસે પણ બન્નેના ઈરાદા પાકા હતા બન્ને લગ્ન કરવા માટે તૈયાર હતા. અર્ચના લગ્ન કરવા ગઈ ત્યારે શૂંટીગ ચૂકી ગઈ જેથી તેને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો. એ ફિલ્મમાં સૈફ અલી ખાન ડેબ્યૂ કરવાનો હતો.  પરંતુ લગ્ન થતાં જ બંને ચૂપચાપ પોતપોતાના કામમાં લાગી ગયા જાણે કંઈ બન્યું જ નથી. અંદાજે ચાર વર્ષ સુધી લગ્નની વાત છુપાવી પડી હતી. 
 

1992માં અર્ચના અને પરમીતનાં લગ્ન થયાં-
1992માં ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં પરમીતે સારું પરફોર્મ કર્યું હતું અને તે ઘણો ફેમસ થયો હતો. તે પહેલાં 1992માં જ પરમીત અને અર્ચનાએ લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો છે આર્યમાન અને આયુષ્માન. પૂર્વ ક્રિકેટર અને એક્સ જજ નવજોત સિંહ સિધ્ધુએ શો છોડ્યો ત્યારબાદ 2019માં અર્ચના 'ધ કપિલ શર્મા શો'ની જજ બની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More