Home> Entertainment
Advertisement
Prev
Next

Ex વાઇફને ગળે મળતા દેખાયા અનુરાગ કશ્યપ, 21 વર્ષ નાની છોકરીને કરી રહ્યાં છે ડેટ!

બોલીવુડના ફેમસ ડાયરેક્ટ, પ્રોડ્યૂસર, રાઇટર અને એક્ટર અનુરાગ કશ્યપની નવી ફિલ્મ ‘મનમર્જિયાં’ સપ્ટેમ્બર મહિનાની 21 તારીખે રિલીઝ થવાની છે.

Ex વાઇફને ગળે મળતા દેખાયા અનુરાગ કશ્યપ, 21 વર્ષ નાની છોકરીને કરી રહ્યાં છે ડેટ!

નવી દિલ્હી: બોલીવુડના ફેમસ ડાયરેક્ટ, પ્રોડ્યૂસર, રાઇટર અને એક્ટર અનુરાગ કશ્યપની નવી ફિલ્મ ‘મનમર્જિયાં’ સપ્ટેમ્બર મહિનાની 21 તારીખે રિલીઝ થવાની છે. શુક્રવારે આ ફિલ્મની રિલીઝની પહેલા રાખવામાં આવેલી સ્ક્રીનિંગમાં અનુરાગે તેમની Ex વાઇફ કલ્કિ કોચલિનને ગળે મળતા દેખાયા હતા. તમને જણાવી દઇએ કે અનુરાગ અને કલ્કિ સાથે વર્ષ 2015માં છૂટાછેડા લીધા હતા. આજે એટલે કે 10 સપ્ટેમ્બરે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના આ ડાયરેક્ટ તેમને બર્થ-ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આવો, આ અવસરે જાણીએ અનુરાગની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી વાતો....

45 વર્ષના અનુરાગ કશ્યપ અત્યાર સુધીમાં બે વખત લગ્ન કરી ચુક્યા છે. ત્યારે હાલમાં તેઓ 21 વર્ષ નાની છોકરી શુભ્રા શેટ્ટીની સાથે ડેટ કરી રહ્યાં છે. શુભ્રા અને અનુરાગ ગત કેટલાક મહિનાઓથી લિવ-ઇનમાં રહે છે. શુભ્રાએ જેવિયર્સ કોલેજમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. કોલેજ પુરી કર્યા બાદ શુભ્રાએ ‘ફેંટમ ફિલ્મ્સ’માં જોડાઇ હતી. ત્યારબાદ બંને એકબીજાની નજીક આવ્યા હતા. અનુરાગે થોડા દિવસ પહેલા જ શુભ્રા સાથેની તેમના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા.

દીકરીથી નાની ઉંમરની છોકરી સાથે છે રિલેશનશિપ
24 વર્ષની શુભ્રા અનુરાગ કશ્યપની દીકરી આલિયાથી માત્ર 6 વર્ષ જ નાની છે. જણાવી દઇએ કે 18 વર્ષની આલિયા કશ્યપ અનુરાગ અને તેમની પહેલી પત્ની આરતી બજાજની દીકરી છે. ફિલ્મ અડિટર આરતી બજાજ સાથે અનુરાગના લગ્ન 2003માં થયા હતા અને ત્યારબાદ 2009માં તેમણે છુટાછેડા લીધા હતા.

ક્લિક કરી વાંચો: બોલીવુડના આ ડાયરેક્ટરનો આજે છે બર્થ-ડે, આવો છે તેમની લાઇફનો ટર્નિંગ પોઇન્ટ

11 વર્ષ નાની કલ્કિ સાથે બીજા લગ્ન
કેટલાક દિવસો પછી ઉંટીમાં ‘દેવ ડી’ ફિલ્મનું શૂટિંગ દરમિયાન ડાયરેક્ટર અનુરાગ કશ્યપની મુલાકાત કલ્કિ કોચલિનથી થઇ હતી. જે સમયની સાથે પ્રેમ અને ત્યારબાદ લગ્નમાં ફેરવાઇ ગઇ હતી. તેમનો આ સંબધ વધારે દિવસ સુધી ચાલ્યો ન હતો અને 2015માં તેઓ છુટા થઇ ગયા હતા.

અનુરાગની હિટ ફિલ્મો
ડાયરેક્ટર તરીકે અનુરાગ કશ્યપ બ્લેક ફ્રાઇડે (2007), દેવ ડી (2009), ગુલાલ (2009) ગેંગ્સ ઓફ વાસેપુર (2012), બોમ્બે ટોકીઝ (2013), અગલી (2014), બોમ્બે વેલવેટ (2015), રામન રાઘવ 2.0 (2016) જેવી ફિલ્મો બનાવી પોતાની ઓળખ ઉભી કરી છે. એટલુ જ નહી આ ફિલ્મોમાં એક્ટર તરીકે પણ કામ કરી ચુક્યા છે. અનુરાગે એક્ટિંગ ડેબ્યૂ 2011માં આવેલી ક્રાઇમ થ્રિલર ‘શાગિર્દ’થી શરૂઆત કરી હતી. જોકે આ પહેલા ઘણી ફિલ્મોમાં કૈમિયો રોલ કરી ચુક્યા છે. ત્યારબાદ તેઓ નવાજુદીન સિદ્દિકીની ફિલ્મ ‘ધૂમકેતુ’ (2016) અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ ‘અકીરા’ (2016)માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે એક પોલીસ ઓફિસરના કેરેક્ટરમાં વિલનનો અદ્ધભુત રોલ પ્લે કર્યો હતો. અનુરાગે આ કેરેક્ટરને બોલીવુડમાં ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

21 સપ્ટેમ્બરે રિલીઝ થશે ‘મનમર્ઝીયાં’
અનુરાગ કશ્યપની આવી રહેલી ફિલ્મ ‘મનમર્ઝીયાં’ ટુંક સમયમાં રિલીઝ થવાની છે. તાપસી પન્નુ, વિક્કી કૌશલ અને અભિષેક બચ્ચનની ‘મનમર્ઝીયાં’ થિયેટરમાં 21 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

બોલીવુડના વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More