Home> Entertainment
Advertisement
Prev
Next

Video : અર્જુનની હાલત થઈ સાપે છછુંદર ગળ્યા જેવી જ્યારે કરણે પૂછ્યો એક સવાલ

કરણ જોહરના આગામી એપિસોડમાં અર્જુન કપૂર અને જાન્હવી કપૂર એકસાથે હાજરી આપવાના છે

Video : અર્જુનની હાલત થઈ સાપે છછુંદર ગળ્યા જેવી જ્યારે કરણે પૂછ્યો એક સવાલ

નવી દિલ્હી : કરણ જોહરના લોકપ્રિય શો 'Koffee With Karan'ની સિઝન 6 21 ઓક્ટોબર, 2018થી શરૂ થઈ છે. આ શોમાં અત્યાર સુધી અનેક સેલિબ્રિટીઓ દેખાઈ છે. આ શોના આગામી એપિસોડમાં એક્ટર અર્જુન કપૂર તેની સાવકી બહેન જાન્હવી કપૂર સાથે હાજરી આપવાનો છે. આ શોમાં એક તબક્કે કરણ જોહરે અર્જુનને તેના અંગત જીવનને લગતો વિવાદાસ્પદ સવાલ કરી લીધો હતો જેના કારણે તે બરાબર ફસાઈ ગયો હતો અને એક શબ્દ પણ બોલી શક્યો નહોતો. 

પ્રિયંકા અને નિકના લગ્ન : આવી ગયા છે સૌથી પહેલાં ખાસ સમાચાર 

હકીકતમાં અર્જુન કપૂર અને મલાઇકા અરોરા જ્યારથી લેકમે ફેશન વિકમાં એકસાથે જોવા મળ્યા છે ત્યારથી તેમની રિલેશનશીપ ચર્ચાસ્પદ બની છે. હાલમાં તો એવા સમાચાર આવ્યા હતા કે આ પ્રેમી જોડી લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જોકે હવે ખબર પડી છે કે આ વાત ખોટી છે. હાલમાં ડીએનએમાં આવેલા સમાચાર પ્રમાણે હાલમાં અર્જુન અને મલાઇકા એકબીજા સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે પણ બંનેનું હાલમાં લગ્ન કરવાનું કોઈ પ્લાનિંગ નથી. આ મામલે અર્જુનની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી છે કે અર્જુન પોતાની બહેન અંશુલાના લગ્ન પછી જ પોતાના લગ્ન વશે વિચારશે. મલાઇકા અને અર્જુન હાલમાં પોતાનો સમય એન્જોય કરી રહ્યા છે. હાલમાં અર્જુન પાસે ઘણી ફિલ્મોની તેમજ મલાઇકા પાસે ટીવી શોની ઓફર છે. આ સંજોગોમાં હજી તેઓ એકબીજાને ઓળખવા માગે છે. 

માર્કેટમાં ધડાધડ વેચાઈ રહેલા આ ઢીંગલાની હકીકત છે વિશ્વાસ ન થાય એવી !

આ શોથી જાન્હવી ટીવી પર ડેબ્યુ કરી રહી છે અને અર્જુન કપૂર તેનો જોડીદાર બન્યો છે. રિપોર્ટ પ્રમાણે જહાન્વી અને અર્જુન સિવાય ન્યુલી મેરીડ કપલ પણ આ શોમાં જોવા મળશે. તેમાં વિરાટ કોહલી-અનુષ્કા શર્મા અને સોનમ કપૂર-આનંદ આહુજા શામેલ છે. આ ઉપરાંત કરણના શોમાં સ્ટારકિડ્સ પણ જોવા મળી શકે છે. આ લિસ્ટમાં સુહાના ખાન, અહાન પાંડે, અનન્યા પાંડેના નામ શામેલ છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More