નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં (Nusrat Jahan) અંગે મહત્વના સમાચાર આવ્યાં છે. અચાનક તબિયત(Health) લથડી જતા તેને હોસ્પિટલ(Hospital)માં દાખલ કરવામાં આવી છે. નુસરત જહાંએ રવિવારે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેને કોલકાતા(Kolkata)ના એપોલો ગ્લેનઈગલ્સ હોસ્પિટલમાં દાખલ કરાઈ.
મેં બધા પક્ષોના નેતાઓ સાથે વાત કરી, 2019નું અંતિમ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ: PM મોદી
નુસરતના પ્રવક્તા અભિષેક મજૂમદારે ટીએમસી સાંસદ હોસ્પિટલમાં દાખલ છે એ વાતને સત્તાવાર સમર્થન આપ્યું. મજૂમદારે કહ્યું કે નુસરતનું સ્વાસ્થ્ય હાલ સારું છે અને તેને સોમવારે સુધીમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે.
અનેક મીડિયા રિપોર્ટ્સ મુજબ નુસરતની તબિયત બગડવાની પાછળ મેડિસિન(Medicine)નો ઓવરડોઝ(Overdose) થયો હોવાનું કહેવાય છે. પરંતુ નુસરતના પરિવાર અને તેમની ટીમે આ વાતને ફગાવી છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળના બશીરહાટ(Bashirhat)થી ટીએમસી સાંસદ નુસરત જહાં પોલિટિક્સ અને ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી એક્ટિવ રહે છે. છાશવારે તે પોતાની તસવીરો પોસ્ટ કરે છે. રવિવારે 17 નવેમ્બરના રોજ પતિ નિખિલ જૈન(Nikhil Jain)ના જન્મદિવસે પણ નુસરતે પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે