Home> Business
Advertisement
Prev
Next

બેંક લોન વિશે ZEE એ પૂછ્યો સવાલ, નાણા મંત્રીએ આપ્યો આ જવાબ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારના 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજના પહેલા ચરણની જાહેરાત કરી છે. આ પેકેજની જાહેરાત બાદ નાણા મંત્રીએ પત્રકારોના સવાલના જવાબ પણ આપ્યા હતા. તે દરમિયાન Zee Businessના પત્રકાર સમીર દીક્ષિતે પણ તે દરમિયાન નાણા મંત્રીથી બેંક લોન વિશે એક સવાલ પૂછ્યો હતો. સમીરે નાણા મંત્રીથી બેંકની ક્રેડિટ લાઇનની હાલની સ્થિતિ અને સરકાર દ્વારા બેંકની ક્રેડિટ લાઇનને મંજૂરી આપવામાં વિલંબ વિશે જાણવાની ઇચ્છા છે.

બેંક લોન વિશે ZEE એ પૂછ્યો સવાલ, નાણા મંત્રીએ આપ્યો આ જવાબ

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારના 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજના પહેલા ચરણની જાહેરાત કરી છે. આ પેકેજની જાહેરાત બાદ નાણા મંત્રીએ પત્રકારોના સવાલના જવાબ પણ આપ્યા હતા. તે દરમિયાન Zee Businessના પત્રકાર સમીર દીક્ષિતે પણ તે દરમિયાન નાણા મંત્રીથી બેંક લોન વિશે એક સવાલ પૂછ્યો હતો. સમીરે નાણા મંત્રીથી બેંકની ક્રેડિટ લાઇનની હાલની સ્થિતિ અને સરકાર દ્વારા બેંકની ક્રેડિટ લાઇનને મંજૂરી આપવામાં વિલંબ વિશે જાણવાની ઇચ્છા છે.

આ પણ વાંચો:- નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજ 1માં કરી 20 મહત્વપૂર્ણ જાહેરાતો, જાણો કોને શું મળ્યું

બેંકો તરફથી કોઈ થતો નથી વિલંબ
તેના પર નાણામંત્રીએ ઝી બિઝનેશને જવાબ આપ્યો કે બેંકો વતી લોન આપવામાં કોઈ વિલંબ થતો નથી. જો કે, લોન માટે અરજી કરનારાઓ જ હાલમાં બેંકોને લોનની રકમ મોડામાં આપવા માટે કહી રહ્યા છે. આવું એટલા માટે કેમ કે લોકડાઉનના કારણથી તેઓ રકમનો ઉપયોગ કરી શકશે નહીં અને તેમની ઇએમઆઈ પણ શરૂ થશે.

આ પણ વાંચો:- નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત માટે કરી આ મોટી જાહેરાત, જાણો કોને શું મળ્યું

નાણા મંત્રીને એમ પણ કહ્યું કે બેંકો લોન આપવામાં ડરતા નથી. અરજદારને ધિરાણ આપવાની બાબતમાં તેઓ પહેલાથી વધુ સક્રિય છે. આ સાથે જ સરકારે આરબીઆઈ દ્વારા બેંકોને પહેલાં કરતાં વધુ તરલતા આપી છે. જો ભવિષ્યમાં બેંકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો સરકાર બેંકોને મદદ કરશે.

સરકારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 3 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. નાના વેપારીઓને મોટી રાહત આપતા એમ પણ કહ્યું કે 200 કરોડ રૂપિયા સુધી કોઈ ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવશે નહીં. આર્થિક પેકેજમાં 15 હજાર સુધીના પગારમાં મોટી રાહત આપવામાં આવી હતી. આ ઉપરાંત વીજ કંપનીઓને 90 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. રિયલ એસ્ટેટને સરકાર તરફથી મોટો બૂસ્ટર ડોઝ પણ મળ્યો છે. પૈસાના અભાવ સાથે સંઘર્ષ કરી રહેલા NBFC માટે 30 હજાર કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- કોરોનાના ભયથી દવાના વેચાણમાં વધારો, રાતોરાત રોગપ્રતિકારક શક્તિ વધારવા અધીરા બન્યા લોકો

કુટીર-નાના પાયાના ઉદ્યોગો માટે સરકાર 6 મોટા પગલાં લેશે. તેમણે MSME ક્ષેત્ર માટે 3 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી. MSME ક્ષેત્રને ગેરંટી વિના લોન મળશે. સરકારે સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોની વ્યાખ્યા બદલી. નવી વ્યાખ્યા હેઠળ રોકાણ અને વાર્ષિક ટર્નઓવર માટેના નિયમો બદલયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More