Home> Business
Advertisement
Prev
Next

આ ખૂબસુરત હસિના સંભાળશે ટોયોટો કાર બનાવતી કંપનીની કમાન, એક નહીં અનેક કંપનીઓની છે બોસ

Mansi Kirloskar: માનસી ટાટાએ યુએસની કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. પિતા વિક્રમ કિર્લોસ્કરના નિધન બાદ તેમને કંપનીની કમાન સોંપવામાં આવી છે. જો કે, તે ઘણી બધી કંપનીમાં મહત્વપૂર્ણ હોદ્દા પર રહી ચૂકી છે.

આ ખૂબસુરત હસિના સંભાળશે ટોયોટો કાર બનાવતી કંપનીની કમાન, એક નહીં અનેક કંપનીઓની છે બોસ

Who is Manasi Tata: માનસી ટાટા લગભગ 130 વર્ષ જૂના કિર્લોસ્કર ગ્રુપની કિર્લોસ્કર જોઈન્ટ વેન્ચર પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન છે. નવેમ્બર 2022માં પિતા વિક્રમ કિર્લોસ્કરના આકસ્મિક નિધન બાદ ગયા વર્ષે તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને કિર્લોસ્કર જોઈન્ટ વેન્ચર (JV) ના બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ નિમણૂક પછી, તેમણે ટોયોટા એન્જિન ઈન્ડિયા લિમિટેડ (TIEI), કિર્લોસ્કર ટોયોટા ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ (KTTM), ટોયોટા મટિરિયલ હેન્ડલિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (TMHIN), અને ડેનો કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ (DNKI) નો હવાલો સંભાળ્યો.

દિવાળી સફાઇ આદરી હોય તો વાસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર થશે મોટું નુકસાન

માનસી ટાટા પહેલાંથી જ ટોયોટા કિર્લોસ્કર મોટર્સ પ્રાઈવેટ લિમિટેડના બોર્ડમાં હતા પરંતુ તેમના પિતાના અવસાન બાદ તેમને તેના વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે કિર્લોસ્કરનું ટોયોટા સાથે જોઈન્ટ વેન્ચર છે જેના કારણે ફોર્ચ્યુનર અને ઈનોવા જેવી કાર ભારતમાં આવી શકે છે. આ કંપની ભારતમાં ટોયોટાના ઉત્પાદન અને વેચાણનું ધ્યાન રાખે છે. હવે ભારતમાં તેની કમાન પણ માનસી ટાટા પાસે રહેશે.

આ તારીખોમાં જન્મેલા લોકો પર હોય છે શનિની વિશેષ કૃપા, જીવે છે રાજા જેવું જીવન

માનસી કેવી રીતે કિર્લોસ્કરમાંથી ટાટા બની
32 વર્ષની માનસીએ અમેરિકાના રોડ આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેણી તેના અભ્યાસથી તેના પિતા સાથે તેની કંપનીમાં કામ કરતી હતી. 2019માં તેણે નેવિલ ટાટા સાથે લગ્ન કર્યા. નેવિલ ટાટાના પિતાનું નામ નોએલ ટાટા છે, જેઓ પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના સાવકા ભાઈ છે. ટાટા પરિવારની વહુ હોવા છતાં માનસી ખૂબ જ સાદું જીવન જીવે છે અને બને એટલું મીડિયાથી દૂર રહે છે.

Numerology: ગજબનું આકર્ષણ હોય છે આ લોકોમાં, પહેલી મુલાકાતમાં બધા બની જાય છે દિવાના

કોણ હતા વિક્રમ કિર્લોસ્કર
ટોયોટા કાર કંપનીને ભારતમાં લાવવાનો શ્રેય વિક્રમને જાય છે. તેમણે 1997માં ટોયોટા સાથે ભાગીદારી કરી હતી. કિર્લોસ્કર ગ્રુપ આ સંયુક્ત સાહસમાં લગભગ 11 ટકા હિસ્સો ધરાવે છે. વિક્રમ કિર્લોસ્કરના દાદા એસએલ કિર્લોસ્કરે આ જૂથનો પાયો નાખ્યો હતો. વિક્રમ પાસે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હતી. તેમણે વિશ્વની ટોચની એન્જિનિયરિંગ કોલેજ ગણાતી મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અભ્યાસ કર્યો.

દિવાળી પહેલાં રાહુ-કેતુ બદલશે ચાલ, જ્યોતિષની આ ત્રણ રાશિવાળા થશે માલામાલ

કિર્લોસ્કર ગ્રુપની અન્ય કંપનીઓ
કિર્લોસ્કર ગ્રૂપની બીજી ઘણી કંપનીઓ છે, જેમાંથી મુખ્ય કંપની કિર્લોસ્કર બ્રધર્સ છે. 29 નવેમ્બર 2022 ના રોજ વિક્રમ કિર્લોસ્કરનું અવસાન થયું. તે સમયે તે ટોયોટા કિર્લોસ્કર મોટર્સના વાઇસ ચેરમેન હતા, જે હવે તેમની પુત્રી માનસી ટાટા છે. આ જૂથની અન્ય કંપનીઓના નામ નીચે મુજબ છે - કિર્લોસ્કર બ્રધર્સ, કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કિર્લોસ્કર ફેરમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કિર્લોસ્કર ઓઇલ એન્જિન લિમિટેડ, કિર્લોસ્કર ન્યુમેટિક કંપની લિમિટેડ, કિર્લોસ્કર ઇલેક્ટ્રિક લિમિટેડ, એન્વિર અને ઇલેક્ટ્રોડાઇન લિમિટેડ વગેરે.

Budh Gochar 2024: નવું વર્ષ આ 3 રાશિઓ માટે સાબિત થશે લકી, ખુલી જશે કિસ્મતના દ્વાર
ફક્ત 23 વર્ષની ઉંમરમાં બની IFS ઓફિસર, પહેલાં જ પ્રયત્નમાં ક્રેક કરી દીધી UPSC Exam

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More