Home> Business
Advertisement
Prev
Next

Union Budget 2024: રૂફટોપ સોલાર પ્લાન અંતગર્ત 1 કરોડ ઘરોને દર મહિને 300 યૂનિટ ફ્રી વિજળી

Union Budget 2024 : નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ (PM Suryoday Yoajan) 300 વીજળી યુનિટ મફતમાં ઉપલબ્ધ થશે. આ યોજના હેઠળ 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે.

Union Budget 2024: રૂફટોપ સોલાર પ્લાન અંતગર્ત 1 કરોડ ઘરોને દર મહિને 300 યૂનિટ ફ્રી વિજળી
Updated: Feb 01, 2024, 12:06 PM IST

Union Budget 2024 highlights: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 300 વીજળી યુનિટ મફતમાં ઉપલબ્ધ થશે. આ યોજના હેઠળ 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે.

વચગાળાના બજેટમાં આ 4 જાતિઓના વિકાસ પર કરવામાં આવ્યું ફોકસ, નાણામંત્રીએ કરી જાહેરાત

પીએમ સૂર્યોદય યોજના (PM Suryoday Yojana) ગ્રાહકોના વીજ બિલમાં ઘટાડો કરશે અને ઘણા પૈસા બચાવશે. આ યોજના માટે પાત્ર લોકો વીજળી ઉત્પાદન માટે તેમની ખાલી છતનો યોગ્ય ઉપયોગ કરી શકે છે. વીજ ગ્રાહકોને સોલાર પેનલ લગાવવા માટે જમીન ખરીદવાની જરૂર નહીં પડે. ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને જરૂરિયાતમંદ લોકો આ યોજના માટે પાત્ર બનશે.

બજેટ પહેલાં સસ્તું થયું સોના-ચાંદી, ખરીદવાનું વિચારતા હોવ તો જાણી લો ભાવ
શું નોકરિયાતોને આજે ગિફ્ટ આપશે FM, નવી કે જૂની કઇ ટેક્સ વ્યવસ્થા માટે ખુલશે પટારો?

નાણામંત્રી નિર્મલા સીતારમણે એમ પણ કહ્યું કે બજેટમાં ચાર જાતિઓના વિકાસ પર મહત્તમ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ચાર જાતિઓ અન્ય કોઈ નહીં પણ ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો છે. જાણી લો કે થોડા દિવસો પહેલા ખુદ પીએમ મોદીએ આ ચાર સૌથી મોટી જાતિઓ વિશે જણાવ્યું હતું. અને કહ્યું હતું કે તેમનું ધ્યાન આ ચાર જ્ઞાતિઓ પર છે.

1973માં રજૂ કરવામાં આવ્યું હતું બ્લેક બજેટ? દેશમાં હતું આર્થિક સંકટ, જાણો અજાણી વાતો
બજેટ પહેલાં બજારમાં જોવા મળશે એક્શન, આ 5 શેર ખરીદી લો, 1 વર્ષમાં થઇ જશો માલામાલ

ગરીબો, મહિલાઓ, યુવાનો અને અન્નદાતાઓ માટે શું-શું કર્યું?
ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના વિકાસનો ઉલ્લેખ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બધા માટે ઘર, દરેક ઘર માટે પાણી અને બધા માટે વીજળી પર ભાર મૂકવામાં આવ્યો છે. 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યું. આ સિવાય ખેડૂતો માટે MSPમાં વધારો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ગ્રામીણ અર્થતંત્ર પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તમામ વાજબી લોકોને સરકારી યોજનાઓનો લાભ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર રહ્યું. તેમના સર્વાંગી, સર્વસ્પર્શી અને સમાવેશી વિકાસ માટે કામ ચાલી રહ્યું છે.

Income Tax બચાવવો હોય તો અપનાવો આ ટિપ્સ, એકપણ રૂપિયાનો ભરવો નહી પડે ટેક્સ
Bank Holiday List: ફેબ્રુઆરીમાં 18 દિવસ જ બેંકો કરશે કામ, ઢગલાબંધ આવે છે રજાઓ

25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકાર ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર મહત્તમ ધ્યાન આપી રહી છે. સરકાર તેમના જીવનને વધુ સારી બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. ગરીબોનું કલ્યાણ એ જ દેશનું કલ્યાણ છે. અમે ગરીબો માટે ઘણું કામ કરી રહ્યા છીએ. આ 10 વર્ષમાં સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી મુક્ત કર્યા છે. અમારી સરકાર આવા લોકોને વધુ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે.

ગુરૂવારે આ ઉપાય કરશો તો દેવી દેવતાઓ થઇ જશે ખુશ, બગડેલી બાજી સુધરી જશે
દાદીમાનો આ નુસખો ચપટીમાં દૂર કરી દેશે ગેસ,અપચો અને એસીડિટીની સમસ્યા, બીજા 3 છે ફાયદા

4 કરોડ ખેડૂતોને પાક વીમાનો મળ્યો લાભ 
નાણામંત્રીએ સંસદમાં કહ્યું કે પીએમ પાક વીમા યોજના દ્વારા 4 કરોડ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણું કામ કરી રહી છે. 2014 પહેલા મોટા પડકારો હતા. છેલ્લા 10 વર્ષમાં 30 કરોડ મુદ્રા યોજનાની લોન મહિલા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને 70% મકાનો મળ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે