Home> Business
Advertisement
Prev
Next

SBI ના ગ્રાહકોને હવે નહી ચૂકવવો પડે ATM ચાર્જ, કરી શકશો અનલિમિટેડ ફ્રી ટ્રાંજેક્શન

એસબીઆઇના ગ્રાહકો જો અનલિમિટેડ ફ્રી ATM ટ્રાંજેકશન કરવા માંગે છે તો તેમને પોતાના સેવિંગ્સ એકાઉંટમાં સરેરાશ ન્યૂનતમ માસિક બેલેંસ 25,000 રૂપિયાથી વધુ રાખવા પડશે.

SBI ના ગ્રાહકોને હવે નહી ચૂકવવો પડે ATM ચાર્જ, કરી શકશો અનલિમિટેડ ફ્રી ટ્રાંજેક્શન

SBI એ ગ્રાહકો માટે સારા સમાચાર છે. અત્યાર સુધી તમે ફક્ત 8 અથવા 10 વખત ATM વડે ફ્રી ટ્રાંકેશન કરી શકતા હતા પરંતુ જો તમે તમારા ખાતામાં મિનિમન બેલેન્સ દર મહિને રાખો છો તો તમે ATM વડે અનલિમિટેડ ફ્રી ટ્રાંકેશન કરી શકો છો. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ દેશની ટોપ બેંકોને આ નિર્દેશ આપ્યો છે કે તે પોતાના ગ્રાહકોને દર મહિને એક નિશ્વિત સંખ્યામાં ફ્રી ATM ટ્રાંકેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવે.

Vodafone Vs BSNL : બંને કંપનીઓએ લોંચ કર્યા આકર્ષક પ્લાન, જાણો તમારા માટે કયો સારો

ફ્રી અનલિમિટેડ ATM ટ્રાંજેક્શન માટે ખાતામાં હોવી જોઇએ આટલી રકમ
SBIના ગ્રાહકો જો અનલિમિટેડ ફ્રી ATM ટ્રાંજેકશન કરવા માંગે છે તો તેમને પોતાના સેવિંગ્સ એકાઉંટમાં સરેરાશ ન્યૂનતમ માસિક બેલેંસ 25,000 રૂપિયાથી વધુ રાખવા પડશે. ભારતીય સ્ટેટ બેંકના આવા ગ્રાહક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રુપ (SBG) ના ATM દ્વારા અનલિમિટેડ ફ્રી ટ્રાંજેક્શન કરી શકો છો. તમને જણાવી દઇએ કે 31 ઓક્ટોબર 2018ના રોજ પોતાના ક્લાસિક અને Maestro ડેબિટ કાર્ડ ધારકોની ડેલી કેશ લિમિટ 40,000 રૂપિયાથી ઘટાડીને 20,000 રૂપિયા કરી દીધી હતી.

ખેડૂતે માત્ર 3000ના ખર્ચે તૈયાર કર્યું અનોખુ મશીન, ઉભા પાકને નષ્ટ કરતાં જીવાતની હવે ખેર નહી!

તેમને પણ મળે છે ATM વડે ફ્રી અનલિમિટેડ ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા
એસબીઆઇની વેબસાઇટના અનુસાર જે એકાઉંટ હોલ્ડર 25,000 રૂપિયાનું મંથલી બેલેંસ યથાવત રાખે છે તેમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ગ્રુપના કોઇપણ એટીએમમાંથી દર મહિને 10 ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા મળે છે. જોકે તેની કેટલીક શરતો પણ છે. એસબીઆઇના આમ ગ્રાહક જે 1 લાખ રૂપિયા અથવા તેનાથી વધુનું મંથલી એવરેજ બેલેંસ મેંટેન કરે છે તેમને બેંકોના ATM માંથી અનલિમિટેડ ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા મળે છે. સેલરી એકાઉંટને એસબીઆઇ પોતાના ગ્રુપના બધા એટીએમ ઉપરાંત બીજી બેંકોના એટીએમમાંથી પણ અનલિમિટેદ ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા આપે છે. 

SBI ના ગ્રાહકો માટે જરૂરી સમાચાર, આજથી બંધ થશે આ સેવાઓ

SBIમાંથી મંથલી ATM ટ્રાંજેકશનની આ છે લિમિટ
જો તમે SBI ના રેગુલર સેવિંગ્સ બેંક એકાઉંટ હોલ્ડર છો તો મહાનગરોમાં તમને 8 ફ્રી એટીએમ ટ્રાંજેક્શનની સુવિધા મળે છે. તેમાં 5 ટ્રાંજેક્શન્સ  SBI ATM અને 3 ટ્રાંજેક્શન બીજી બેંકોના ATM માંથી કરી શકાશે. બીજી તરફ નોન-મેટ્રોના ખાતા ધારકો માટે આ સીમા 10 ફ્રી ટ્રાંજેક્શન (5 SBI અને 5 બીજી બેંકોના ATM માંથી)  દર મહિને મળશે. ફ્રી ટ્રાંજેક્શન ઉપરાંત જો તમે ATM નો ઉપયોગ કરો છો તમારે 5 (GST વધારાના) થી લઇને 20 રૂપિયા (GST વધારાના)નો ચાર્જ ચૂકવવો પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More