ઝી મીડિયા/બ્યૂરો :દેશની સૌથી મોટી સરકાર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) એ લોકડાઉનની વચ્ચે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે વ્યાજ દરોમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ વ્યાજ દર 7.40 ટકાથી ઘટીને 7.25 ટકા પર આવી ગયા છે. નવો ભાવ 10 મેથી લાગુ થશે. SBI એ સતત 12મી વાર એમસીઆરએલમાં ઘટાડો કર્યો છે. તો ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં સતત બીજીવાર ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પહેલા એપ્રિલમાં SBI એ વ્યાજ દરોમાં 0.35 ટકા ઘટાડો કર્યો હતો.
EMI માં ઘટાડો થશે
SBI એ હોમ-ઓટો-પર્સનલ લોનને લઈને આ મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી એમસીઆરએલ પર આધારિત લોન પર EMI ઘટી જશે. ઉલ્લેખનીય છે કે, RBI એ કોરોના વાયરસની વચ્ચે અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે રેપો રેટમાં 75 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો. SBI એ આ ઘટાડા બાદ હોમ લોન એકાઉન્ટ (linked to MCLR) ની EMI ઓછી થઈ જશે. 30 વર્ષ માટે 25 લાખ રૂપિયાના લોન પર દર મહિને અંદાજે 255 રૂપિયા બચી જશે.
આ મહિલા દરેક બોલિવુડ પાર્ટીમાં પહોંચી જાય છે, દરેક સ્ટાર્સ સાથે છે ખાસ કનેક્શન
સિનીયર સિટીઝન માટે લોન્ચ કરી પ્રોડક્ટ
SBI એ પોતાના સિનીયર સિટીઝન ગ્રાહકો માટે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. રિટેલ ટર્મ ડિપોઝીટ સેગમેન્ટમાં SBI Wecare Deposit પ્રોડક્ટ લોન્ચ કરાઈ છે. તેમાં સિનીયર સિટીઝન્સને 5 કે તેનાથી ઉપરના રિટેલ ટર્મ ડિપોઝીટ પર 0.30 ટકા વ્યાજ મળશે. આ સ્કીમ 30 સપ્ટેમ્બર 2020 સુધી રાખવામાં આવી છે.
કોરોનાની આગમાં સ્વાહા થઈ વધુ એક કંપની, સેંકડો કર્મચારીઓને કાઢી મૂકવાની કરી જાહેરાત
સિનીયર સિટીઝન માટે વ્યાજદર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે