Home> Business
Advertisement
Prev
Next

Alert: SBI ના 44 કરોડ ગ્રાહકો માટે મહત્વના સમાચાર, 17મી જૂનના રોજ આ સમય દરમિયાન નહીં કરી શકો લેવડદેવડ!

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં ખાતું ધરાવનારા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે.

Alert: SBI ના 44 કરોડ ગ્રાહકો માટે મહત્વના સમાચાર, 17મી જૂનના રોજ આ સમય દરમિયાન નહીં કરી શકો લેવડદેવડ!

નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં ખાતું ધરાવનારા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. જો તમારું એકાઉન્ટ આ બેંકમાં હોય તો તમારા માટે બેંકે એક અલર્ટ જાહેર કરી છે. બેંકે જણાવ્યું છે કે 17 જૂન 2021ના રોજ કેટલાક કલાક માટે બેંકની ખાસ સર્વિસ કામ નહીં કરે. બેંક પોતાના ગ્રાહકોને સારી સુવિધા આપવા માટે સમયાંતરે અપગ્રેડ કરતી રહે છે. જેથી કરીને ગ્રાહકોને ડિજિટલ સુવિધાઓ વધુ સરળતાથી મળી શકે. બેંકે ટ્વીટ કરીને ગ્રાહકોને આ અંગે જાણકારી આપી છે. 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે 17મી જૂન 2021ના રોજ 00.30 વાગ્યાથી લઈને 02.30 વાગ્યા સુધી મેન્ટેનન્સનું કામ ચાલશે. મેન્ટેનન્સ એક્ટિવિટીના કારણે ગ્રાહકો બે કલાક માટે ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ (YONO App), યોનો લાઈટ(YONO Lite) અને યુપીઆઈ(UPI) નો ઉપયોગ કરી શકશે નહીં. 

શું છે SBI ની યોનો?
SBI YONO એક ઈન્ટિગ્રેટેડ ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ છે. જેના દ્વારા યૂઝર્સ અનેક પ્રકારની સુવિધાઓનો ફાયદો લઈ શકે છે. અત્રે જણાવવાનું કે ગ્રાહકોને નાણાકીય સેવાઓની સાથે સાથે ફ્લાઈટ, બસ અને ટેક્સી બુકિંગ, ઓનલાઈન શોપિંગ કે મેડિકલ બિલનું પેમેન્ટ કરવાની પણ સુવિધા મળે છે. Android અને iOS બંને પ્રકારના યૂઝર્સ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. 

Gold Hallmarking આજથી સમગ્ર દેશમાં નહીં, માત્ર 256 જિલ્લામાં જ લાગૂ થશે, નાના જ્વેલર્સને મળી આ મોટી રાહત

22 હજારથી પણ વધુ છે બ્રાન્ચ
નોંધનીય છે કે દેશભરમાં એસબીઆઈની 22 હજારથી વધુ બ્રાન્ચ છે અને 58 હજારથી વધુ એટીએમ/સીડીએમનું નેટવર્ક છે. બેંકના કુલ 44 કરોડ ગ્રાહકોમાંથી 8.5 કરોડ ગ્રાહકો ઈન્ટરનેટ બેંકિંગ અને 1.9 કરોડ ગ્રાહકો મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત બેંકના ઈન્ટીગ્રેટેડ ડિજિટલ એન્ડ લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ યોનોને લોકો પસંદ કરે છે અને અત્યાર સુધીમાં 7.4 કરોડથી વધુ ડાઉનલોડ થયેલી છે. 

Driving License માટે 1 જુલાઈથી નવા નિયમ, હવે ટેસ્ટ આપ્યા વગર જ મળી જશે લાયસન્સ!, જાણો કેવી રીતે? 

3.45 કરોડ લોકો કરે છે ઉપયોગ 
હાલ એસબીઆઈમાં યોનોના 3.45 કરોડ રજિસ્ટર્ડ યૂઝર્સ છે. જેના પર દરરોજ લગભગ 90 લાખ લોકો લોગઈન થાય છે. ડિસેમ્બર 2020 ત્રિમાસિકમાં એસબીઆઈએ 15 લાખથી વધુ ખાતા યોનો દ્વારા જ ખોલ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More