Home> Business
Advertisement
Prev
Next

New Rules: આજથી બદલાઇ જશે આ 6 નિયમો, જાણો મિડલ ક્લાસને પડશે માર?

Rules Change From 1 April 2024: ફાસ્ટટેગથી લઇને પર્સનલ ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેંટ સ્કીમ અને બાકી પૈસા રૂપિયા સાથે જોડાયેલા ઘણા ફેરફાર 1 એપ્રિલથી લાગૂ થઇ રહ્યા છે. આ ફેરફારની અસર સીધી તમારા ખિસ્સા પર પડવાની છે. આવો જાણીએ 1 એપ્રિલથી કયા-કયા મહત્વપૂર્ણ ફેરફાર થશે. જેની સીધી અસર દેશના દરેક મિડલ ક્લાસ પર પડશે.

New Rules: આજથી બદલાઇ જશે આ 6 નિયમો, જાણો મિડલ ક્લાસને પડશે માર?

Rules Changes from 1st April: 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઇ જશે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ઘણા ફેરફાર થઇ જશે. તમારા પૈસા સાથે જોડાયેલા નિયમમાં ફેરફાર થઇ જશે. FY2024-25 ની શરૂઆત થતાં જ તમારા જીવનમાં પૈસા અને સેવિંગ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળશે. ફાસ્ટેગથી લઇને પર્સનલ ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ અને અન્ય નાણાં સંબંધિત ઘણા ફેરફારો 1 એપ્રિલથી અમલમાં આવી રહ્યા છે. આ ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આવો જાણીએ 1 એપ્રિલથી કયા કયા મહત્વપૂર્ણ ફેરફારો થશે જેની અસર દેશના દરેક મિડલ ક્લાસ પર પડશે. 

કરોડપતિ બનવું હોય તો અપનાવો 15x15x15 ની ફોર્મ્યૂલા, રોજ કરો માત્ર 500 રૂ.નું રોકાણ
UAE માં જોવા મળ્યો 'શૈતાની કોમેટ', નાસાએ જણાવ્યું ફરી ક્યારે દેખાશે ધૂમકેતુ

FASTag નો નવો નિયમ
સૌથી પહેલા ફાસ્ટેગ વિશે વાત કરીએ. 1 એપ્રિલથી ફાસ્ટેગ સંબંધિત એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જો તમે બેંકમાંથી તમારી કારના ફાસ્ટેગનું કેવાયસી અપડેટ કર્યું નથી, તો તમને 1 એપ્રિલથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો તમે તમારું ફાસ્ટેગ કેવાયસી કરાવ્યું નથી તો આજે જ કરાવો, કારણ કે 31 માર્ચ પછી બેંકો KYC વિના ફાસ્ટેગને નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ કરશે. ત્યારબાદ ફાસ્ટેગમાં બેલેન્સ હોવા છતાં ચુકવણી કરવામાં આવશે નહીં. તમારે ટોલ પર ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે NHAI એ ફાસ્ટેગ ગ્રાહકોને આરબીઆઈના નિયમો અનુસાર ફાસ્ટેગ માટે KYC પ્રક્રિયા પૂર્ણ કરવા કહ્યું છે.

Neechbhang Rajyog 2024: મીન રાશિમાં બનશે નીચ ભંગ રાજયોગ, થશે તગડો લાભ, આ રાશિઓના બગડશે કામ
મોટી સીટવાળા ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટરની લોન્ચ ડેટ આવી નજીક, 999 રૂપિયામાં કરાવો બુક

એલપીજી ગેસનો નવો નિયમ
LPG સિલિન્ડરની કિંમતો દેશભરમાં દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે.દર મહિનાની જેમ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ 1લી એપ્રિલે સુધારો કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવા છતાં તેમાં કોઈ ફેરફારને અવકાશ નથી. નાણાકીય કેલેન્ડર સમાપ્ત થવામાં હજુ 7 દિવસ બાકી છે. નાણાકીય કેલેન્ડર સમાપ્ત થાય તે પહેલાં તેનો નિવેડો લાવી દો. 

EPFOનો નવો નિયમ
નવા નાણાકીય વર્ષમાં EPFOમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન 1 એપ્રિલથી નવા નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે. નવા નિયમ હેઠળ જો તમે નોકરી બદલો છો, તો પણ તમારું જૂનું પીએફ ઓટો મોડમાં ટ્રાન્સફર થશે. એટલે કે, તમારે નોકરી બદલવા પર પીએફની રકમ ટ્રાન્સફર કરવાની વિનંતી કરવાની જરૂર રહેશે નહીં. અત્યાર સુધી, યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે UAN હોવા છતાં, તમારે પીએફની રકમ ટ્રાન્સફર કરવા માટે વિનંતી કરવી પડશે. નવા નાણાકીય વર્ષથી આ ઝંઝટનો અંત આવશે.

કાળઝાળ ગરમી બોડીને ઠંડુગાર રાખશે આ વસ્તુઓ, આજથી શરૂ કરી દો સેવન મળશે અઢળક ફાયદા
પરીક્ષા વિના 68000 પગારવાળી નોકરી જોઇએ છે? તો ONGC માં તાત્કાલિક કરો અરજી

SBI ક્રેડિટ કાર્ડ
જો તમારી પાસે SBI ક્રેડિટ કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે છે. SBI 1 એપ્રિલ, 2024 થી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ઘણા મોટા ફેરફારો કરી રહી છે. જો તમે 1 એપ્રિલથી ભાડાની ચુકવણી કરશો, તો તમને કોઈ રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. આ નિયમ કેટલાક ક્રેડિટ કાર્ડ પર 1 એપ્રિલથી લાગુ થશે અને કેટલાક ક્રેડિટ કાર્ડ પર આ નિયમ 15 એપ્રિલથી લાગુ થશે.

તડકામાં કાળી પડી ગયેલી સ્કીનને દૂધ જેવી ગોરી કરી દેશે આ ઘરેલુ ઉપાય, ઉનાળો અપનાવો ખાસ
બેવકૂફ બનશો નહી...સિઝન આવી ગઇ છે શીખી લો તરબૂચ ખરીદવાની ટિપ્સ, મધ જેવું મીઠું નિકળશે

NPS સિસ્ટમમાં ફેરફાર
નવા નાણાકીય વર્ષમાં NPS એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. એપ્રિલ મહિનાથી, પેન્શન ફંડ રેગ્યુલેટર એટલે કે PFRDA એ નેશનલ પેન્શન સિસ્ટમની હાલની લોગિન પ્રક્રિયામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવો નિયમ 1 એપ્રિલ, 2024થી અમલમાં આવશે. નવા નિયમ હેઠળ, NPS એકાઉન્ટમાં લોગિન કરવા માટે બે વેરિફિકેશન એટલે કે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર પડશે. NPS સબ્સ્ક્રાઇબર્સને આધાર વેરિફિકેશન અને મોબાઇલ પર મળેલા OTP દ્વારા લોગિન કરવાનું રહેશે. આ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવ્યું છે.

પરસેવાની વાસ લોકો સામે અનુભવવી પડે છે શરમ, આ ટિપ્સ દૂર થશે સમસ્યા
જાણવા જરૂરી છે ગુવાર અને કારેલાના આ અદભુત ફાયદા, ડાયાબિટીસ માટે સૌથી ઉત્તમ

PAN ને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન
PAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે. આ પછી પણ જો કોઈ વ્યક્તિ નિયમોનું પાલન નહીં કરે એટલે કે PAN ને આધાર સાથે લિંક નહીં કરે તો તેનો PAN નંબર રદ કરવામાં આવશે. PAN કાર્ડ રદ કરવાનો અર્થ એ છે કે તમે ન તો બેંક ખાતું ખોલી શકશો અને ન તો કોઈ મોટો વ્યવહાર કરી શકશો. પાન એક્ટિવેટ કરવા માટે મોડા પેમેન્ટ તરીકે તમારે 1000 રૂપિયાનો દંડ પણ ચૂકવવો પડી શકે છે.

કોણ હતા તે ક્રાંતિકારી જેમનો અસ્થિ કળશ પોતાના ખભા પર લાવ્યા હતા મોદી?
સરકાર આપે છે ગેરંટી: આટલા મહિનામાં તો પૈસા ડબલ, જોજો સગા વ્હાલાં કે પડોશી ના રહી જાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More