Home> Business
Advertisement
Prev
Next

મોદી કર્મચારીઓને આપી શકે છે મોટી ખુશખબરી, PMO લેશે અંતિમ નિર્ણય

Budget 2023 : બજેટ 2023 માં સરકાર પગારદારને મોટી જાહેરાત કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નોન મેટ્રો શહેરો માટે HRA માં મળનારી છૂટને 40 ટકા વધારવાનો વિચાર કરવામાં આવ્યો છે 

મોદી કર્મચારીઓને આપી શકે છે મોટી ખુશખબરી, PMO લેશે અંતિમ નિર્ણય

Budget 2023 : કેટલાક ભાડા પર રહે છે, કેટલાક માતાપિતાના ઘરે રહે છે કે કોઈને હોય છે હોમલોનનું ટેન્શન.... પણ બધાનું ટેન્શન એક જ સરખું જ હોય ​​છે. 31 માર્ચ નજીક છે. આવકવેરો કેવી રીતે બચાવવો? આજે અમે તમને આવકવેરામાં HRA મુક્તિ વિશે સંપૂર્ણ માહિતી આપીશું. જેના પછી તમે જાતે સરળતાથી ગણતરી કરી શકશો કે ઇન્કમ ટેક્સમાં એચઆરએ સંબંધિત નિયમ શું છે અને તેનો સંપૂર્ણ લાભ કેવી રીતે લેવો?

સૌથી પહેલા તમને સરળ ભાષામાં કહો કે આ HRA શું છે? હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) એ એક ભથ્થું છે, જે એમ્પ્લોયર દ્વારા તેના કર્મચારીઓને મકાન ભાડાના રૂપમાં આપવામાં આવે છે. લગભગ તમામ ખાનગી-સરકારી કર્મચારીઓને HRA મળે છે. તે CTCનો જ એક ભાગ છે. પરંતુ HRA કર મુક્તિના દાયરામાં આવે છે, જેનો લાભ કર્મચારીઓને મળે છે. આવકવેરા અધિનિયમની કલમ 10(13A) હેઠળ HRAને મુક્તિ મળી શકે છે. HRA દાવા માટે પગારમાં માત્ર મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું (DA) ઉમેરવામાં આવે છે. નાણાં મંત્રાલયે કેન્દ્રીય બજેટમાં રૂપિયા  પાંચ લાખ સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ કરમુક્ત કરવાની દરખાસ્ત PMOઓને મોકલી છે. મોદી PMOના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ અંગે અંતિમ નિર્ણય લેશે. મોદી લીલી ઝંડી આપે એ સાથે જ બજેટમાં તેની જાહેરાત કરાશે.

આ પણ વાંચો : 

પોલીસનું ટેપકાંડ ! ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા, શરમ કરો

અ'વાદમાં ચાના પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે BJPના હોદ્દેદારો અને મનપા કમિશનર આમને-સામને

હાલ વાર્ષિક રૂપિયા ૨.૫ લાખ સુધીની આવક સંપૂર્ણ કરમુક્ત છે. સ્ટાન્ડર્ડ ડીડક્શન સહિતની વિવિધ રાહતો અને રોકાણની કપાત પછી વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની આવક કરમુક્ત થાય છે. નાણાં મંત્રાલયની દરખાસ્ત આ મર્યાદા વધારીને આગામી બજેટમાં સરકાર રૂપિયા પાંચ લાખ સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ કરમુક્ત કરી નાંખવાની છે. આ છૂટ મેળવવા માટે કરદાતાએ કોઇ રોકાણ કે કરમુક્તિનો ખર્ચ બતાવવાની પણ જરૂર નહીં પડે. આ દરખાસ્ત પ્રમાણે કરદાતાની વાર્ષિક આવક રૂપિયા પાંચ લાખથી જેટલી વધારે હોય એટલી આવક પર સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવો પડશે.  આગામી સામાન્ય ચૂંટણી પહેલાં કેન્દ્રનું આ છેલ્લું બજેટ હશે તેથી સરકાર સામાન્ય કરદાતાઓને મોટી રાહત આપવા ઇચ્છે છે. આ કારણે આ દરખાસ્તને મોદી મંજૂરી આપી દેશે એવું મનાય છે.

આ પણ વાંચો : વડોદરામાં મમતા ભૂલાઇ, લગ્નના બે દિવસ પહેલા બાળક જન્મતા કચરામાં ફેંકી દીધું!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More