Home> Business
Advertisement
Prev
Next

ખુશખબરી! Toll Plaza પર હવે નહી લાગે જામ, FASTag બાદ હવે સરકાર લાવશે નવી ટેક્નોલોજી

Nitin Gadkari: પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ પ્લાઝા પર લાગતો સમય ઘટાડવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે આવનારા સમયમાં ટોલ પ્લાઝા પર GNSS ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

ખુશખબરી! Toll Plaza પર હવે નહી લાગે જામ, FASTag બાદ હવે સરકાર લાવશે નવી ટેક્નોલોજી

Toll Plaza: શુક્રવારે રાજ્યસભામાં રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી (Nitin Gadkari) એ ટોલ પ્લાઝાના સમય અંગેના સવાલનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે દેશના ટોલ પ્લાઝા (Toll Plaza) પર સરેરાશ સમય ઓછો આવ્યો છે. આ રાહ જોવાનો સમય સરેરાશ 734 સેકન્ડનો હતો જે હવે ઘટીને માત્ર 47 સેકન્ડ પર આવી ગયો છે. ઈન્દોરના બીજેપી સાંસદ શંકર લાલવાણીએ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીને ટોલ પ્લાઝા પર લેવામાં આવેલા સમય પર સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં નીતિન ગડકરીએ સરેરાશ સમયમાં મોટા ઘટાડા અંગે માહિતી આપી છે.

Tips: ખરાબ સ્વભાવવાળી છોકરીઓથી દૂર ભાગે છે છોકરા, નહીંતર ખરાબ થઇ જશે લાઇફ!
કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ
અહીં મહિલાઓને અજાણ્યા લોકો સાથે સંબંધ બનાવવાની છે આઝાદી, જાણીને લાગશે નવાઇ

FASTag ઇન્સ્ટોલેશન પછી વધુ ટોલ કલેક્શન
નોંધપાત્ર વાત એ છે કે, ભાજપના ધારાસભ્ય શંકર લાલવાણીએ વાહનવ્યવહાર મંત્રીને ટોલ પ્લાઝા પર લાગેલા સમય અંગે પ્રશ્ન કર્યો હતો. આ સાથે તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે ટોલ પ્લાઝા પર લાંબા ટ્રાફિક જામ પર સરકાર શું કરી રહી છે. શું આ માટે કોઈ નવી સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે? રાજ્યસભામાં આ પ્રશ્નનો લેખિત જવાબ આપતા નીતિન ગડકરીએ કહ્યું છે કે નેશનલ હાઈવે પર FASTag લગાવ્યા બાદ ટોલ પ્લાઝાની વસૂલાતમાં વધારો થયો છે. જો કે કેટલીકવાર કેટલીક ટેકનિકલ સમસ્યાઓના કારણે ટોલ પ્લાઝા પર લાંબી કતારો લાગે છે.

Shani Dev: શનિવારે આ વસ્તુઓ ખરીદશો તો ન્યાયના દેવતા થશે નારાજ, ઝંડ થઇ જશે જીંદગી
દેશનું એક એવું મંદિરમાં જ્યાં જુઠ્ઠું બોલનારાઓના ખુલી જાય છે રાજ, અનોખો છે ચમત્કાર

સરેરાશ સમયમાં ઘટાડો
આ સાથે પરિવહન મંત્રીએ જણાવ્યું છે કે ટોલ પ્લાઝામાં FASTag લગાવ્યા બાદ ટોલ પ્લાઝામાં લાગતા સરેરાશ સમયમાં ઘટાડો થયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે અગાઉ સામાન્ય રીતે વાહનો માટે 734 સેકન્ડનો સમય લાગતો હતો જે હવે ઘટીને માત્ર 47 સેકન્ડ થઈ ગયો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે ટૂંક સમયમાં દેશમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (Global Navigation Satellite System) પર આધારિત ગેટ-ફ્રી પ્લાઝા બનાવવામાં આવશે. જેના કારણે લોકોને થોડો સમય પ્લાઝામાં રોકાવું પડશે નહીં. આના પર કામ કરવા માટે સરકારે કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે.

આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ

55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More