Home> Business
Advertisement
Prev
Next

નવા વેતન કોડ અંગે શ્રમ મંત્રાલયે આપી મોટી માહિતી, જાણો ક્યારે લાગૂ થશે

New Wage Code India Updates: શ્રમ મંત્રાલય વેતન કોડ અંગે તમામ ક્ષેત્રોના એચઆર વડાઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈકોનોમિક ટાઈમ્સને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે નિયમોના હાલના માળખામાં ફેરફાર કર્યા વગર મુદ્દાઓના નિયમોના માધ્યમથી લાગુ કરવામાં આવશે.

નવા વેતન કોડ અંગે શ્રમ મંત્રાલયે આપી મોટી માહિતી, જાણો ક્યારે લાગૂ થશે

New Wage Code India Updates: સરકાર ટૂંક સમયમાં નવો વેતન કોડ લાગુ કરી શકે છે. અગાઉ તેનો અમલ 1 એપ્રિલથી થવાનો હતો, ત્યારપછી ઓક્ટોબરથી તેનો અમલ થવાની શક્યતા હતી. પરંતુ રાજ્ય સરકારોની અટકળોને કારણે તેનો અમલ થયો ન હતો. હવે આ નિયમ નવા નાણાકીય વર્ષથી લાગુ થઈ શકે છે. શ્રમ મંત્રાલય વેતન કોડ અંગે તમામ ક્ષેત્રોના એચઆર વડાઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઈકોનોમિક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે નિયમોના હાલના માળખામાં ફેરફાર કર્યા વગર મુદ્દાઓના નિયમોના માધ્યમથી લાગુ કરવામાં આવશે.

ક્યારે લાગુ થશે?
મંત્રીએ કહ્યું, 26 રાજ્યોએ વેતન કોડ પરના નિયમોને સૂચિત કર્યા છે અને તમામ રાજ્યો ચારેય કોડ પરના નિયમોને સૂચિત કરવા પર કામ કરી રહ્યા છે. અમે સામાજિક સુરક્ષા સંહિતા આંશિક રીતે લાગુ કરી છે, પરંતુ અમે ચારેયને વ્યાપક રીતે એકસાથે આવતા જોવા માંગીએ છીએ. સરકાર બધું જ સર્વસંમતિથી અને પારદર્શક રીતે કરશે.

1. વર્ષની રજાઓ વધીને 300 થશે
કર્મચારીઓની મળતી રજા 240 થી વધારીને 300 કરી શકાય છે. લેબર કોડના નિયમોમાં ફેરફાર અંગે શ્રમ મંત્રાલય, લેબર યૂનિયન અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ વચ્ચે ઘણી જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓની મળતી રજા 240 થી વધારીને 300 કરવાની માંગ કરવામાં આવી હતી.

2. પગારનું માળખું બદલાશે
નવા વેતન કોડ હેઠળ કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર થશે, તેમની Take Home Salary માં ઘટાડો થઈ શકે છે. કારણ કે વેતન કોડ અધિનિયમ (Wage Code Act), 2019 મુજબ, કર્મચારીનો મૂળ પગાર કંપની (Cost To Company CTC) ના ખર્ચના 50% કરતા ઓછો ન હોઈ શકે. હાલમાં ઘણી કંપનીઓ બેઝિક સેલરી ઘટાડે છે અને ઉપરથી વધુ ભથ્થાં આપે છે જેથી કંપની પરનો બોજ ઓછો થાય.

3. ભથ્થાંમાં કપાત કરવી પડશે
કર્મચારીના Cost to company (CTC) માં ત્રણથી ચાર ઘટકો હોય છે. બેઝિક સેલેરી, હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), પીએફ, ગ્રેચ્યુઈટી અને પેન્શન જેવા નિવૃત્તિ લાભો અને કર બચત ભથ્થાં જેવા કે  એલટીએ અને મનોરંજન ભથ્થા. હવે નવા વેતન કોડમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ભથ્થાં કોઈપણ કિંમતે કુલ પગારના 50% થી વધુ ન હોઈ શકે. આવી સ્થિતિમાં જો કોઈ કર્મચારીનો પગાર મહિને 50,000 રૂપિયા છે, તો તેનો બેઝિક પગાર 25,000 રૂપિયા હોવો જોઈએ અને તેના ભથ્થાં બાકીના 25,000 રૂપિયામાં આવવા જોઈએ.

એટલે કે અત્યાર સુધી જે કંપનીઓ બેઝિક સેલેરી 25 30 ટકા રાખતી હતી અને બાકીનો ભાગ ભથ્થાનો હતો, તેઓ હવે બેઝિક સેલરી 50 ટકાથી ઓછી નહીં રાખી શકે. આવી સ્થિતિમાં, નવા વેતન કોડના નિયમોને લાગુ કરવા માટે કંપનીઓએ ઘણા ભથ્થામાં પણ કાપ મૂકવો પડશે.

4. નવા વેતન કોડમાં શું છે ખાસ
નવા વેતન કોડમાં આવી ઘણી જોગવાઈઓ આપવામાં આવી છે, જેની અસર ઓફિસમાં કામ કરતા નોકરિયાત વર્ગ, મિલો અને ફેક્ટરીમાં કામ કરતા કામદારોને પણ થશે. કર્મચારીઓના પગારથી લઈને તેમની રજાઓ અને કામના કલાકો પણ બદલાશે. ચાલો જાણીએ નવા વેતન કોડની કેટલીક જોગવાઈઓ, જેના અમલીકરણ પછી તમારું જીવન ઘણું બદલાઈ જશે.

5. કામના કલાકો વધશે અને વીકલી ઑફ પણ વધશે
નવા વેતન કોડ હેઠળ કામના કલાકો વધીને 12 થઈ જશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે કહ્યું કે પ્રસ્તાવિત લેબર કોડમાં કહેવામાં આવ્યું છે કે અઠવાડિયામાં 48 કલાક કામ કરવાનો નિયમ લાગુ થશે, હકીકતમાં કેટલાક યુનિયનોએ 12 કલાક કામ અને 3 દિવસ કામ કરવાના નિયમ પર સવાલ ઉઠાવ્યા હતા. રજા આ અંગે પોતાની સ્પષ્ટતામાં સરકારે કહ્યું કે અઠવાડિયામાં 48 કલાક કામ કરવાનો નિયમ હશે, જો કોઈ વ્યક્તિ દિવસમાં 8 કલાક કામ કરે છે તો તેને અઠવાડિયામાં 6 દિવસ કામ કરવું પડશે અને એક દિવસની રજા મળશે.

જો કોઈ કંપની દિવસમાં 12 કલાક કામ કરે છે, તો તેણે બાકીના 3 દિવસ કર્મચારીને રજા આપવી પડશે. જો કામના કલાકો વધશે તો કામકાજના દિવસો પણ 6 ને બદલે 5 કે 4 થશે. પરંતુ આ માટે કર્મચારી અને કંપની બંને વચ્ચે કરાર હોવો જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More