નવી દિલ્હી : રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ Jioમાટે અનેક જાહેરાતો કરી છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે Jio હવે Gbpsની સ્પીડમાં ઈન્ટરનેટ પૂરું પાડશે. તેમણે Jio ફોન 2ની પણ જાહેરાત કરી છે, જે માત્ર રુ. 2999માં બજારમાં મૂકાશે અને તેનું વેચાણ 15 ઓગસ્ટથી શરુ થશે. કંપનીએ ફાઇબર કનેક્ટિવિટીમાં 2.5 લાખ કરોડ રૂ.નું રોકાણ કર્યું છે. 'JioGigaviber' નામથી ફાઇબર બ્રોડબેન્ડ સેવા લોન્ચ કરવામાં આવી છે.
JioPhone-2 મામલે કરાયેલી જાહેરાત
JioGigaFiber સર્વિસ લોન્ચ
RILની 41મી AGMમાં JioGiga TV સેટ પર લોન્ચ કરવામાં આ્વ્યો છે. TVમાં વોઇસ કમાન્ડ ફિચર પણ ઉપલબ્ધ છે. મુકેશ અંબાણીએ કહ્યું છે કે ભારતમાં હવે ટીવી જોવાની સ્ટાઇલ બદલાઈ જશે. મુકેશ અંબાણીએ કહ્યું છે કે જિયો બ્રોડબેન્ડ મારફતે દેશમાં સૌથી સસ્તા દરે બ્રોડબેન્ડની સુવિધા આપવામાં આવશે.
મુકેશ અંબાણીની જાહેરાત પ્રમાણે દેશના 1100 શહેરોમાં જિયો બ્રોડબેન્ડની સુવિધા શરૂ થશે. આ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 15 ઓગસ્ટથી શરૂ થશે. જે શહેરમાં સૌથી વધારે રજિસ્ટ્રેશન થશે ત્યાં આ સુવિધા સૌથી પહેલાં શરૂ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે