Home> Business
Advertisement
Prev
Next

જનધન યોજનાનો ભારે સપાટો, લેટેસ્ટ આંકડા છે જોરદાર

નાણાં મંત્રાલયે આ જાણકારી આપી છે. 

જનધન યોજનાનો ભારે સપાટો, લેટેસ્ટ આંકડા છે જોરદાર

નવી દિલ્હી : હાલમાં જાહેર થયેલી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી જનધન યોજનામાં 5 સપ્ટેમ્બર સુધી ઓછામાં ઓછાં 20 લાખ લોકો શામેલ છે. આ સાથે સાથે નાણાંકીય સમાવેશનાં આ પ્રમુખ કાર્યક્રમમાં ખાતાધારકોની કુલ સંખ્યા વધીને 32.61 કરોડ થઇ ગયા છે. નાણાં મંત્રાલયે આ જાણકારી આપી છે. 

નાણાંકીય મંત્રાલયનાં આંકડા અનુસાર 15 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બરની સમયમર્યાદા દરમ્યાન 32.61 કરોડ જનધન યોજનાના ખાતામાં કુલ જમા રકમમાં માં 1,266.43 કરોડ રૂપિયાની વૃદ્ધિ જોવામાં આવી. જનધન યોજના ખાતામાં બચેલ શેષ ધન 5 સપ્ટેમ્બરનાં રોજ 82,490.98 કરોડ રૂપિયા હતાં.

સંશોધિત યોજના અંતર્ગત 28 ઓગસ્ટ બાદ નવા જનધન યોજના ખાતાઓ અંતર્ગત નવા રૂપિયા કાર્ડધારકો માટે આકસ્મિક વીમા કવર એક લાખ રૂપિયાથી વધારીને 2 લાખ કરી દેવામાં આવી છે. આ સિવાય 5,000 રૂપિયાની વર્તમાન “ઓવર ડ્રાફ્ટ” સીમાને વધારીને 10,000 રૂપિયા કરી દેવામાં આવેલ છે.

બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More